2જી કેસ : નીરા રાડિયા 28 મેએ કોર્ટમાં હાજર થશે

આ કેસમાં સીબીઆઇએ વિશેષ સીબીઆઇ ન્યાયાધીશ ઓ પી સૈનીને ફરિયાદી પક્ષના પોતાના ગવાહોની યાદી સોંપી છે. આ ગવાહોને કોર્ટમાં પોતાના નિવેદનો નોંધાવવા માટે બોલાવવામાં આવશે. જેમાં નીરા રાડિયાની ગવાહી 28 મેના રોજ થવાની છે. રાડિયાને સીબીઆઇની ગવાહ તરીકે ગયા વર્ષે 5 ડિસેમ્બરના રોજ અદાલતમાં હાજર થવાનું હતું. તે સમયે રાડિયાએ એમ કહીને ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો કે તેમણે ન્યુરોલોજી સંબંધિત સર્જરી કરાવી છે.
સીબીઆઇએ પૂર્વ ટેલિકોમ પ્રધાન એ રાજા અને અન્યોની વિરુદ્ધ 2 એપ્રિલ, 2011ના રોજ દાખલ કરેલા પોતાના આરોપ પત્રમાં રાડિયાને આ કેસમાં ફરિયાદી પક્ષની ગવાહ બનાવવામાં આવી હતી. રાડિયાના નિવેદનને આ કેસ માટે મહત્વનું માનવામાં આવે છે. કારણ કે તેમણે સીઆરપીસીની કલમ 161 અંતર્ગત તપાસ હેઠળ સીબીઆઇ સમક્ષ નોંધાવેલા પોતાના નિવેદનમાં એમ જણાવ્યું હતું કે 2જી કેસમાં મુકદમાનો સામનો કરી રહેલી સ્વાન ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ યુનિફાઇડ એક્સેસ સર્વિસ (યુએએસ) લાયસન્સ પ્રાપ્ત કરવાને લાયક ન હતી.
રાડિયાએ 21 ડિસેમ્બર, 2010ના રોજ સીબીઆઇ દ્વારા નોંધાયેલા પોતાના નિવેદનમાં તપાસ એજન્સીને કહ્યું હતું કે સ્વાન ટેલિકોમ આવેદક તરીકે યુએએસ લાયસન્સ મેળવવા માટે લાયક ન હતી. તેણે કહ્યું હતું કે "જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી આ કંપની સંપૂર્ણ રીતે મેસર્સ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા નિયંત્રિત હતી."
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
