ACમાંથી ગેસ લીક થતાં એકજ પરિવારના 3 સભ્યોનાં મોત
ACમાંથી ગેસ લીક થતાં એકજ પરિવારના 3 સભ્યોનાં મોત
ચેન્નઈઃ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં કમકમાટી છૂટી જાય તેવી ઘટના બની છે. એર કંડીશનમાંથી ગેસ લીક થવાને પગલે એકજ પરિવારના ત્રણ સભ્યો મૃત્યુ પામ્યા છે. મૃતકોમાં આઠ વર્ષની બાળકી અને તેના મા-બાપ સામેલ છે. પોલીસ મુજબ કોયમબેદૂનો આ પરિવાર તિરુવલ્લુવર નગરનો રહેવાસી હતો. પોલીસે હાલ મામલાની તપાસ હાથ ધરી છે, પરંતુ શરુઆતી તપાસમાં માલુમ પડી રહ્યું છે કે એસીનો ગેસ લીક થવાના કારણે આખો પરિવાર ખતમ થઈ ગયો.

મંગળવારે જ્યારે એમના પરિવારના કોઈ સભ્યો ઘરની બહાર ન નીકળ્યા તો પાડીસીઓએ પોલીસને સૂચના આપી હતી. પોલીસે જ્યારે દરવાજો તોડ્યો તો ત્યાંથી ત્રણ મૃતદેહો મળ્યા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે દંપતિએ સોમવારે રાત્રે લાઈટ ચાલી ગયા બાદ એસી ચાલુ કર્યું હતું. એમણે કહ્યું કે ખરાબ એસીને કારણે ગેસ લીક થયો, જેનાથી આખો પરિવાર મોતના મોઢામાં ધકેલાઈ ગયો.
પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આવી જ એક ઘટના દિલ્હીના આદર્શનગરમાં ઘટી હતી, જ્યાં એસીનું કંપ્રેસર ફાટવાના કારણે એ સમયે રૂમમાં હાજર 9 અને 10 વર્ષના ભાઈ-બહેનનું મોત થયું હતું. એ સમયે ઘરમાં આ બાળકોના દાદી હતાં પણ માતા-પિતા ઘરની બહાર હતાં.
આ પણ વાંચો- મોડી રાતે દિલ્હીમાં પ્રવેશ કરી ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યુ, કહ્યુ 'સરકાર વિફળ અમારી જીત'
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
