ઋષિકેશ: લક્ષ્મણ ઝૂલા પાસે મળી ત્રણ લાશ, લોકોમાં ફેલાયો ભય
ઉત્તરાખંડ ના ઋષિકેશ માં ગીતા ભવન પાસે આવેલા લક્ષ્મણ ઝૂલા પાસે ત્રણ લાશ મળવાથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે.
ઉત્તરાખંડ ના ઋષિકેશ માં ગીતા ભવન પાસે આવેલા લક્ષ્મણ ઝૂલા પાસે ત્રણ લાશ મળવાથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આ લાશ બે પુરુષો અને એક 12 વર્ષના બાળકની છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને આત્મહત્યા કરી છે. પોલીસ ને શરૂઆતમાં તેમની ઓળખ કરવામાં ઘણી મુસીબત આવી. પરંતુ મૃતકના શર્ટમાં ટેલર ના સ્ટીકર ઘ્વારા આગ્રા પોલીસે તેમની ઓળખ કરી લીધી.

જણાવવામાં આવી રહ્યું છે કે લક્ષ્મણ ઝૂલા પાસે મળી આવેલી ત્રણ લાશ એક જ પરિવાર ની છે. આ લાશ દાદા (60), દીકરા (35) અને તેમના પૌત્ર (12) ની છે. આ આત્મહત્યા પાછળ કોઈ પારિવારિક કારણ બતાવવામાં આવી રહ્યું છે.
પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર વડીલ અને યુવકના મોઢા અને બાળકના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. તેમની લાશ પાસેથી પાણીની બોટલ પણ મળી આવી છે. આ આખા મામલાની જાંચ કરી રહેલા ચોકી અધ્યક્ષ પ્રદીપ રાણા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટેલર ના સ્ટીકરના આધારે પોલીસે જાંચ આગળ વધારી હતી. તેમને આગ્રા પોલીસને મૃતકના કપડાં પર લગાવેલા ટેલરના સ્ટીકરના ફોટો મોકલ્યા. ટેલરે પોલીસને કેટલીક માહિતી આપી જેના કારણે પોલીસ મૃતકો ના ઘરે પહોંચી ગયી.
#Uttarakhand: 3 bodies found near Rishikesh's Lakshman Jhula, yesterday. Police say, 'On checking we only found money in their pockets, process of identification is underway.' pic.twitter.com/GmAW5gY3jK
— ANI (@ANI) March 24, 2018
આ ઘટના પછી લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે પોલીસે વધારે સતર્ક રહેવાની જરૂર છે. પોલીસે રાત્રે વધારે ધ્યાન રાખવું જોઈએ.
એક સ્થાનીય નાગરિક માધવ જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એવું વિચારીને જ ખરાબ છે કે ત્રણે લોકો આત્મહત્યા કરવા માટે ઋષિકેશ આવ્યા હતા. આ એક પવિત્ર શહેર છે. અહીં લોકો પૂજા પાઠ કરવા આવે છે, પોતાનો જીવ આપવા માટે નહીં.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
