ભારતમાં 66 આકંતવાદી સંગઠનો સક્રિય
નવી દિલ્હી, 28 ઓગસ્ટ : ભારત સરકારે સંસદની નીચલા ગૃહ એટલે કે લોકસભામાં સૂચિત કર્યું છે કે એક અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ભારત દેશમાં વર્તમાન સમયમાં અંદાજે 66 આતંકવાદી અને અલગતાવાદી સંગઠનો સક્રિય છે. તેમાંથી અંદાજે 34 એટલે કે અડધાથી વધારે સંગઠનો દેશના ઉત્તર પૂર્વી રાજ્ય મણિપુરમાં કામ કરી રહ્યા છે.
દેશમાં સૌથી સક્રિય કહી શકાય તેવા તમામ આતંકવાદી સંગઠનોએ જમ્મુ કાશ્મીરમાં પોતાના મૂળિયા ખૂંપાવી રાખ્યા છે. આ સંગઠનોને પાકિસ્તાનના ઉદ્રવાદીઓ અને સંગઠનોનું સમર્થન પ્રાપ્ત છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પાસેથી ભારતીય આતંકવાદીઓ અને ઉગ્રવાદી સંગઠનોને પૈસા અને હથિયાર ઉપરાંત તાલીમ પણ મળે છે.
દેશમાં અન્ય જે સ્થળોએ આતંકલવાદી સંગઠનો સક્રિય છે તેમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને પંજાબનો સમાવેશ થાય છે. આ સંગઠનો વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાની વ્યવસ્થા કરે છે.
આ ઉપરાંત આ સંગઠનો દાણચોરી, નકલી ચલણને ઘૂસાડવું વગેરે જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલા હોય છે. હાલ સરકાર તેમની પ્રવૃત્તિઓ પર 24 કલાક નજર રાખી રહી છે. આ માટે ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવનાર છે.