9 જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા, કેરળમાં ઓરેન્જ એલર્ટ, સ્કૂલો બંધ
ઓક્ટોબર મહિનામાં પણ વરસાદે અનેક સ્થળોએ કહેર સર્જ્યો છે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું અંતિમ તબક્કામાં છે અને તે દક્ષિણ ભારતમાં તોફાન પેદા કરી શકે છે
ઓક્ટોબર મહિનામાં પણ વરસાદે અનેક સ્થળોએ કહેર સર્જ્યો છે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું અંતિમ તબક્કામાં છે અને તે દક્ષિણ ભારતમાં તોફાન પેદા કરી શકે છે, તેથી કેરળના 9 જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ ચેતવણી જારી કરી છે, આઇએમડીએ તિરુવનંતપુરમ, એર્નાકુલમ, થ્રિસુર, ઇડુક્કી, પલક્કડ, મલપ્પુરમ અને વાયનાડમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે આ ચેતવણીને કારણે, તિરુવનંતપુરમ અને કોચીની બધા શાળાઓ અને કોલેજોમાં આજે બંધ રાખવામાં આવી છે અને સાવધાની માટે માછીમારોને દરિયો ખેડવાની પણ ના પાડવામાં આવી છે.

9 જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા
આઇએમડી બુલેટિનના જણાવ્યા મુજબ, મલપ્પુરમ જિલ્લાના પેરિંથલામ્નામાં 12 સે.મી, ત્રિસુરમાં કોડુંગાલુરમાં 9 સે.મી. અને એર્નાકુલમમાં આલુવામાં 7 સે.મી. વરસાદ નોંધવામાં આવ્યો છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને કોંકણના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી

અહીં પૂર જેવી હાલત પેદા થઇ શકે છે
હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે વરસાદ હજુ પણ 22 અને 23 ઓક્ટોબરના રોજ કેરળમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવી સંભાવના છે, જ્યારે સ્કાય મેટ પણ કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કારૈકલમાં આગામી બે-ત્રણ દિવસ માટે લોકોને ચેતવણી આપી છે.

કેરળ અને કર્ણાટકમાં વરસાદ થઇ શકે છે
જો કે, કેરળ અને કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો છે. કોઝિકોડમાં 74 મીમી, કન્નુરમાં 39 મીમી, ત્રિસુરમાં 7 મીમી, કાર્પોરમાં 44 મીમી, કોટ્ટાયમમાં 53 મીમી, જ્યારે બેંગ્લોરમાં વરસાદના કારણે પણ ઠંડીનું વાતાવરણ સર્જાયું છે.
આ પણ વાંચો: જાનલેવા બની રહેલા ચોમાસા વિશે શું કહે છે વૈજ્ઞાનિક












Click it and Unblock the Notifications
