મેલી થઇ ગઇ ગંગા, ડૂબકી લગાવવાથી થઇ શકે છે કેન્સર!
જો કે વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગંગાની સફાઇ પર ભાર મૂકવાની વાત કહી ચૂક્યાં છે, પરંતુ લાગે છે કે આ દિશામાં ઝડપથી અને અપેક્ષાથી વધુ કામ કરવાની જરૂરિયાત છે. 'ધ ડિપાર્ટમેન્ટ ઓફ અટોમિક એનર્જી નેશનલ સેન્ટર ફૉર કંપોજીશનલ કેરેક્ટરાઇઝેશન ઑફ મૈટીરિયલ્સે' ગંગાના વૉટર સેમ્પલની તપાસ કરી છે, તો ચોંકાવનાર આંકડાઓ સામે આવ્યા છે. તપાસથી ખબર પડી છે કે ગંગાના પાણીમાં કેન્સર કારક તત્વ જોવા મળ્યા. આ વૉટર સેમ્પલ જાન્યુઆરી 2013માં થયેલા કુંભ મેળા દરમિયાન લેવામાં આવ્યા હતા.
અંગ્રેજી સમાચાર પત્ર 'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અનુસાર ગંગા 'ક્રોમિયમ 6' મળી આવ્યું છે. આ 'ક્રોમિયમ' ઝેરી પણ હોઇ શકે છે. તેના ઝેરીલા સ્વરૂપ 'હેક્સાવેલેંટ ક્રોમિયમ' કહે છે. ગંગાજળમાં તેની માત્રા સામાન્ય કરતાં લગભગ 50 ગણી વધુ હતી. રિપોર્ટ અનુસાર ક્રોમિયનની આટલી વધુ માત્રાના સંપર્કમાં આવતાં ઘણીબિમારીઓ થઇ શકે છે. તેમાંથી એક કેન્સર પણ છે.
રિપોર્ટ અનુસાર ગંગામાં ક્રોમિયમ જેવા ઝેરીલા તત્વની વધુ માત્રા કાનપુરની ફેક્ટરીમાંથી આવી રહી છે. એનસીસીએમના અનુસાર ભારતમાં એવી ટેક્નોલોજી છે. જેથી આ ઝેરીલા તત્વને પાણીમાંથી સાફ કરી શકાય છે.