બંગાળમાં ભાજપ માટે કામ કરશે આમ આદમી પાર્ટી
જી હાં ભાજપે એલાન કરી દિધું છે કે પશ્વિમ બંગાળમાં આમ આદમી પાર્તીની રાજ્ય એકમ હવે ખતમ થઇ જશે કારણ કે બધા સભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે. રાજ્યના ભાજપ અધ્યક્ષ રાહુલ સિંહાએ જાણકારી આપી કે આમ આદમી પાર્ટી હવે ખતમ થઇ ગઇ છે. તેના બધા સભ્યો અમારી પાર્ટીમાં જોડાઇ જવાનો નિર્ણય કર્યો છે.
જ્યાં ભાજપ આપના ખાત્માનો દાવો કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ તેનું ખંડન કર્યું છે. રાષ્ટ્રીય પરિષદના સભ્યો પ્રિંસ પાઠકે આવા સમાચારોને નકારી કાઢતાં કહ્યું હતું કે મોટાભાગના સભ્યો સક્રિય થઇને કામ કરી રહ્યાં છે અને કેટલાક લોકો ભાજપમાં જોડાઇ ગયા છે.
તો બીજી તરફ આપના દાવાઓની પોલ ખોલતાં આમ આદમી પાર્ટીના નેતા મહબૂબ જાફરીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રિય નેતૃત્વના કારણે જ પશ્વિમ બંગાલમાં પાર્ટી તૂટી રહી છે. મહબૂબ જાફરીએ કહ્યું કે મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તા પોતાની સદસ્યતા છોડીને ભાજપમાં જોડાઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે આમ આદમી પાર્ટીએ પશ્વિમ બંગાળમાં ચાર સીટો પર ચૂંટણી લડી હતી અને બધી સીટો પર તેની ડિપોઝીટ જપ્ત થઇ ગઇ હતી.