Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આરુષિ કેસઃ હેમરાજ-કૃષ્ણાનો ડીએનએ અહેવાલ કાઢશે પુરાવા

નવીદિલ્હી, 22 નવેમ્બર: આરુષિ તલવાર અને હેમરાજ હત્યાકાંડમાં સીબીઆઇને ટૂંકસમયમાં નવા પુરાવા મળી શકે છે, કારણ કે, હેમરાજ અને કૃષ્ણાનો ડીએનએ અહેવા જે મીક્સ થઇ ગયો હતો, તે હવે અલગ-અલગ કરી લેવામાં આવ્યો છે.

અમે તમને જણાવી દઇએ કે આરુષિ હત્યાકાંડ બાદ પોલીસની ફોરેન્સિક ટીમે જ્યારે તલવાર હાઉસના તમામ સામાનની બારિકાઇથી તપાસ કરી, તો આરુષિના તકિયા પર હેમરાજ અને કૃષ્ણાનુ લોહી મળ્યું હતું. આ સેમ્પલને ફોરેન્સિક ટીમે ડીએનએ તપાસ માટે મોકલી આપ્યું હતું. થોડાક દિવસ પછી ખબર પડી કે બન્નેના ડીએનએ અહેવાલ મિક્સ થઇ ગયા છે.

જેના કારણે કૃષ્ણા સાથે જોડાયેલા પુરાવાઓ શોધવામા સીબીઆઇને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અહેવાલ પર કોર્ટે પોલીસ અને તપાસ ટીમને આકરી ફટકાર લગાવી હતી, પરંતુ હવે અહેવાલ વ્યવસ્થિત કરી લેવામાં આવ્યો છે.

હૈદરાબાદના સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટિગ એન્ડ ડાયગનાસ્ટિક્સના એક્સપર્ટ એસપીઆર પ્રસાદે કોર્ટમાં જણાવ્યું કે હેમરજા અને કૃષ્ણાના અલગ-અલગ ડીએનએ અહેવાલ તૈયાર કરવામાં આવ્યા છે. તકિયા પર મળેલા અલગ-અલગ લોહીના નિસાનોમાં સ્પષ્ટ અંતર જોઇ શકાય છે.

હવે જોવાનું એ છે કે આ અહેવાલ સીબીઆઇ માટે કારગર સાબિત થાય છે કે નહીં, આમ તો સીબીઆઇ માટે આ સૌતી મોટી મર્ડર મિસ્ટ્રી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X