મર્ડર મિસ્ટ્રી: આજે થશે આરૂષિની હત્યાનો પર્દાફાશ

સીબીઆઇ દ્વારા આરૂષિ અને હેમરાજના મર્ડરનો આરોપ લગાવ્યા બાદ રાજેશ અને નૂપૂર તલવાર પ્રથમવાર કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવશે. તલવાર દંપતિ કોર્ટમાં આજે જવાબ આપશે કે તેમના પર લગાવવામાં આવેલા હત્યાના આરોપો ખોટા છે. હત્યાના આરોપી બનાવવા બાદ રાજેશ અને નૂપૂર તલવાર કોર્ટમાં તે 13 લોકોના નિવેદનની માંગણી કરશે જેમની સાક્ષી સીબીઆઇએ નથી કરાવી. તેમાં સીબીઆઇના ઓફિસર, નોઇડા પોલીસ અને નોઇડા હોસ્પિટલના કર્મચારીનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 4 મેના રોજ તલવાર દંપતિના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે સીબીઆઇના પૂર્વ જોઇન્ટ ડાયરેક્ટર અને વર્તમાનમાં યૂપીના એડીજી લૉ એન્ડ ઓર્ડરના પદ પર તૈનાત અરૂણ કુમાર સહિત 13 લોકોને કોર્ટમાં બોલાવી સાક્ષી લેવામાં આવે. કોર્ટે આ અરજીને નકારી કાઢતાં 7 મેના રોજ તલવાર દંપતિને કલમ 313 હેઠળ નિવેદન દાખલ કરવવા માટે કોર્ટમાં હાજર રહેશે.












Click it and Unblock the Notifications
