તલવાર દંપત્તિનું કોઇ રહસ્ય તો નહોતા જાણતાને આરૂષિ-હેમરાજ?
ગાઝિયાબાદ, 17 એપ્રિલઃ દેશની સૌથી મોટી મર્ડરમિસ્ટ્રી 'આરૂષિ તલવાર, હત્યાકાંડ' પાંચ વર્ષ બાદ ઉકેલવાની અણી ઉપર છે. સીબીઆઇએ દાવો કર્યો છે કે આરૂષિ અને હેમરાજની હત્યા તલવાર દંપત્તિએ કરી છે. જો કે, સીબીઆઇએ હજુ સુધી હત્યાના કારણોનો ખુલાસો કર્યો નથી. બુધવારે સીબીઆઇના આઇઓએ ગાઝિયાબાદ સીબીઆઇ કોર્ટમાં આરૂષિની હત્યા માટે જવાબદાર રાજેશ અને નુપુર તલવારને ઠેરવ્યા છે. સીબીઆઇના પોલીસ અધિક્ષક એજી કૌલે અદાલતમાં જણાવ્યું કે, આરૂષિની હત્યા તેના માતા-પિતાએ કરી છે. તલવાર દંપત્તિ પર આરોપ લગાવતા સીબીઆઇએ દલીલ કરી છે કે જ્યારે આરૂષિ અને તેમના નોકર હેમરાજની હત્યા કરવામાં આવી ત્યારે ફ્લેટની અંદર અને બહાર કોઇ ગયું નહોતું. તે સમયે ફ્લેટમાં ચાર લોકો હાજર હતા. જેમાં બે લોકો જીવીત બચી ગયા અને બે માર્યા ગયા.
થોડાક મહિનાઓ પહેલા સીબીઆઇએ પોતાની દલીલમાં આરૂષિ તલવારની હત્યાના કારણોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીબીઆઇએ કહ્યું હતું કે આરૂષિ તલવાર અને નોકર હેમરાજને આપત્તિજનક સ્થિતિમાં જોઇને તલવાર દંપત્તિએ તેમની હત્યા કરી નાંખી. ગત સાત માર્ચે સીબીઆઇની વિશેષ અદાલતમાં નોએડા સેક્ટર 20ના તત્કાલિન થાનેદાર દાતારામ નનૌરિયાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. દાતારામે અદાલતને જણાવ્યું કે સૂચના મળતા જ તે તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે આખા રૂમ અને ઘરને સીલ કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે, રૂમના બેડ પર આરૂષિનો મૃતદેહ પડ્યો હતો અને તકિયુ, બેડશીટ અને દીવાલ પર લોહી લાગેલું હતું. આરૂષિનું લોવર થોડુંક નીચે હતુ અને તેનું નાડું ખુલ્લું હતું.

-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
