For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તલવાર દંપત્તિનું કોઇ રહસ્ય તો નહોતા જાણતાને આરૂષિ-હેમરાજ?

|
Google Oneindia Gujarati News

ગાઝિયાબાદ, 17 એપ્રિલઃ દેશની સૌથી મોટી મર્ડરમિસ્ટ્રી 'આરૂષિ તલવાર, હત્યાકાંડ' પાંચ વર્ષ બાદ ઉકેલવાની અણી ઉપર છે. સીબીઆઇએ દાવો કર્યો છે કે આરૂષિ અને હેમરાજની હત્યા તલવાર દંપત્તિએ કરી છે. જો કે, સીબીઆઇએ હજુ સુધી હત્યાના કારણોનો ખુલાસો કર્યો નથી. બુધવારે સીબીઆઇના આઇઓએ ગાઝિયાબાદ સીબીઆઇ કોર્ટમાં આરૂષિની હત્યા માટે જવાબદાર રાજેશ અને નુપુર તલવારને ઠેરવ્યા છે. સીબીઆઇના પોલીસ અધિક્ષક એજી કૌલે અદાલતમાં જણાવ્યું કે, આરૂષિની હત્યા તેના માતા-પિતાએ કરી છે. તલવાર દંપત્તિ પર આરોપ લગાવતા સીબીઆઇએ દલીલ કરી છે કે જ્યારે આરૂષિ અને તેમના નોકર હેમરાજની હત્યા કરવામાં આવી ત્યારે ફ્લેટની અંદર અને બહાર કોઇ ગયું નહોતું. તે સમયે ફ્લેટમાં ચાર લોકો હાજર હતા. જેમાં બે લોકો જીવીત બચી ગયા અને બે માર્યા ગયા.

થોડાક મહિનાઓ પહેલા સીબીઆઇએ પોતાની દલીલમાં આરૂષિ તલવારની હત્યાના કારણોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીબીઆઇએ કહ્યું હતું કે આરૂષિ તલવાર અને નોકર હેમરાજને આપત્તિજનક સ્થિતિમાં જોઇને તલવાર દંપત્તિએ તેમની હત્યા કરી નાંખી. ગત સાત માર્ચે સીબીઆઇની વિશેષ અદાલતમાં નોએડા સેક્ટર 20ના તત્કાલિન થાનેદાર દાતારામ નનૌરિયાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. દાતારામે અદાલતને જણાવ્યું કે સૂચના મળતા જ તે તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે આખા રૂમ અને ઘરને સીલ કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે, રૂમના બેડ પર આરૂષિનો મૃતદેહ પડ્યો હતો અને તકિયુ, બેડશીટ અને દીવાલ પર લોહી લાગેલું હતું. આરૂષિનું લોવર થોડુંક નીચે હતુ અને તેનું નાડું ખુલ્લું હતું.

aarushi-talwar
ઉપરાંત તેના ઉપરના કપડાં પણ ઘણાં ઉપર હતા. જો કે, આ વાતનો તલવાર દંપત્તિએ હંમેશા ઇન્કાર કર્યો હતો. હવે વિચારવા જેવી વાત એ છે કે જો આરૂષિ અને હેમરાજના શારીરિક સંબંધ હોવા એ હત્યાનું કારણ નથી તો પછી કારણ શું છે? ક્યાંક એવું તો નથી ને કે આરૂષિ અને હેમરાજ તલવાર દંપત્તિનું કોઇ એવું રહસ્ય જાણતા હતા, જે સામે આવી જતા તે દૂનિયાને પોતાનો ચહેરો બતાવવા લાયક પણ ના રહેત? સીબીઆઇ પોતાની તપાસ કરી રહી છે અને નિશ્ચિત અંતરાલ પર પોતાના તથ્યો અદાલત સમક્ષ રાખી રહ્યાં છે. પરંતુ જનતાની અદાલતની માને તો હત્યા અવૈધ સંબંધોના કારણે કરવામાં આવી છે પછી તે આરૂષિ અને હેમરાજના હોય અથવા તો તલવાર દંપત્તિના અન્ય કોઇની સાથે?

English summary
The CBI officer who investigated the Aarushi Hemraj double murder has for the first time directly said the two were killed by Aarushi's parents dentist couple Rajesh and Nupur Talwar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X