રામ મંદિર વિવાદ પર સીએમ યોગીના નિવેદન પર કોંગ્રેસનો પ્રહાર
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘ્વારા રામ મંદિર વિવાદ પર આપવામાં આવેલા નિવેદન પર હવે રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘ્વારા રામ મંદિર વિવાદ પર આપવામાં આવેલા નિવેદન પર હવે રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કોંગ્રેસે સીએમ યોગીના નિવેદન પર વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સંઘવીએ સીએમ યોગી આદિત્યનાથના રામ મંદિર નિવેદન પર વળતો જવાબ આપતા કહ્યું છે કે આ જોવું એક પ્રસંગ છે કે ભારત માટે એક એવા મુખ્યમંત્રી છે જેમને સંવિધાન વિશે કોઈ જ જ્ઞાન નથી.

પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સંઘવી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતમાં એક એવા મુખ્યમંત્રી છે જેમને સંવિધાન વિશે કોઈ પણ જાણકારી નથી.
Yeh dukhaad prasang hai Bharaat ke liye ki aise mukhyamantri jinko koi gyaan nahi hai samvidhaan ka: Abhishek Manu Singhvi, Congress on UP CM's remark "If Supreme Court can give its verdict on #SabarimalaTemple, then we appeal that a decision on Ram Mandir should also be taken" pic.twitter.com/uZK5RF5C33
— ANI (@ANI) October 28, 2018
ધ્યાન આપવા જેવી બાબત છે કે યોગી આદિત્યનાથે રામ મંદિર નિર્માણ બાબતે નિવેદન આપ્યું હતું કે સુપ્રીમકોર્ટ સબરીમાલા મંદિર અંગે પોતાની ચુકાદો આપી શકે છે, તો અમે અપીલ કરીયે છે કે રામ મંદિર પર પણ એક ચુકાદો મળવો જોઈએ. દિલ્હીના એક કાર્યક્રમ દરમિયાન સીએમ યોગી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતે સબરીમાલા મંદિર અનુસાર જ રામ મંદિર પર પણ જલ્દી ચુકાદો આપવો જોઈએ. તેમને કહ્યું કે રામ મંદિરનો મામલો ધાર્મિક છે તેને રાજનીતિ સાથે નહીં જોડવો જોઈએ.
આ પણ વાંચો: VHP રામ મંદિર નિર્માણ માટે પથ્થર ભરેલા 70 ટ્રક મંગાવી રહી છે












Click it and Unblock the Notifications
