વૉટ્સએપ જાસૂસી મામલે કેન્દ્ર સરકારે આપ્યો આ જવાબ
સરકારને ઈઝરાયેલાના એનએસઓ ગ્રુપ પાસેથી પેગાસસ (Pegasus) સ્પાયવેર ખરીદવા વિશે સવાલ પૂછવામાં આવ્યો છે જેના પર સરકારે પણ જવાબ આપ્યો છે.
સરકારને ઈઝરાયેલાના એનએસઓ ગ્રુપ પાસેથી પેગાસસ (Pegasus) સ્પાયવેર ખરીદવા વિશે સવાલ પૂછવામાં આવ્યો છે જેના પર સરકારે પણ જવાબ આપ્યો છે. આ એ જ જાસૂસી સૉફ્ટવેર છે જેના દ્વારા ભારત સહિત ઘણા દેશો વચ્ચે 1,400 લોકોની ચેટની જાસૂસી કરવામાં આવી છે. જેમાં પત્રકાર અને કાર્યકર્તા પણ શામેલ છે. આ મામલે કાર્યકર્તા સૌરવ દાસે 23 ઓક્ટોબરના રોજ એક આરટીઆઈ દાખલ કરી હતી.

જેમાં તેણે પૂછ્યુ હતુ કે શું ભારત સરકારે એનએસઓ ગ્રુપ પાસેથી પેગાસસ સૉફ્ટવેરને ખરીદી લીધુ છે કે પછી તેને ખરીદવાના આદશ આપ્યા છે. આના જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 31 ઓક્ટોબરે કહ્યુ, 'આ રીતની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આના જવાબ માટે જો કોઈ અપીલ કરવી હોય તો 30 દિવસની અંદર કરી શકાય છે.' આ હેકિંગ કે પછી જાસૂસી વિશે ખુદ વૉટ્સએપે પુષ્ટિ કરી છે.
વૉટ્સએપે શું કહ્યુ?
વૉટ્સએપે આની માહિતી પોતાના બ્લૉગમાં આપતા કહ્યુ કે જાસૂસી માટે વીડિયો કૉલિંગ કરવામાં આવ્યો અને પેગાસસ નામના સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યુ છે. વૉટ્સએપે ઈઝરાયેલના એનએસઓ ગ્રુપ સામે ફેડરલ કોર્ટ, સૈન ફ્રાન્સિસકોમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. જે લોકોની જાસૂસી થઈ તેમના ફોન પર માલવેયર (વાયરસ) મોકલવામાં આવ્યા. આ જાસૂસી એપ્રિલ-મે, 2019 વચ્ચે થઈ. આરટીઆઈનો જવાબ એવા સમયમાં આવ્યો છે જ્યારે આ જાસૂસી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યુ છે. આ મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનુ કહેવુ છે કે સરકાર વૉટ્સએપ પર ભારતીય નાગરિકોની ગોપનીયતાના ઉલ્લંઘનથી ચિંતિત છે. આના માટે મેસેજિંગ પ્લેટફોર્મથી જવાબ માંગવામાં આવ્યો છે.
વૉટ્સએપ કેવી રીતે બન્યુ નિશાન?
પેગાસસની મદદથી કોઈ પણ ફોનને હેક કરવાની ઘણી રીતો હોય છે. આના માટે ઘણી વાર હેકર્સ લિંકની મદદ લે છે તો ઘણી વાર એપ ઈન્સ્ટોલ કરાવવામાં આવે છે. વૉટ્સએપ મામલે કોલિંગ ફીચરની મદદ લેવામાં આવી હતી. સૉફ્ટવેરને ફોનમાં ઈન્સ્ટોલ કરવા માટે વૉટ્સએપના વીડિયો અને ઑડિયો કોલિંગ ફીચરનો ઉપયોગ થયો છે.
શું બોલ્યા રાહુલ ગાંધી?
આના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ છે, સરકાર વૉટ્સએપથી પૂછી રહી છે કે કોણે પેગાસસ ખરીદીને ભારતીય નાગરિકોની જાસૂસી કરી છે, આ તો એવુ છે જેમ મોદી ડસૉને પૂછે કે રાફેલ વિમાન ખરીદીને કોણે પૈસા બનાવ્યા. માહિતી માટે જણાવી દઈએ કે સરકારે વૉટ્સએપને 4 નવેમ્બર સુધી જવાબ આપવા માટે કહ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
