ભાગવત સમક્ષ અડવાણીએ ભાજપ મુદ્દે બળાપો ઠાલવ્યો

નવી દિલ્હીમાં મોહન ભાગવત અને અડવાણી વચ્ચેની બંધ બારણે યોજાયેલી મુલાકાત અંદાજે સવા કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુલાકાતમાં ભાજપમાં વર્તમાન પરિસ્થિતિની સાથે આગામી લોકસભા ચૂંટણી સહિતના વિવિધ મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચાર સમિતિની કમાન સોંપાયા બાદ નારાજ અડવાણી સાથે સંઘનાં પ્રમુખની આ પહેલી મુલાકાત હતી. બેઠકમાં પક્ષની હાલની પરિસ્થિતી અંગે ચર્ચા કરવામાં આવી છે. આ મુલાકાત બુધવારે થવાની હતી પરંતુ અડવાણીની તબીયત ખરાબ હોવાને કારણે તે થઈ શકી નહોતી.
નોંધનીય છે કે સંઘના મોહન ભાગવતની દરમિયાનગીરી બાદ જ અડવાણી તેમનુ રાજીનામુ પાછું ખેંચવા માટે રાજી થયા હતા. તે સમયે એવું નક્કી થયું હતું કે ભાગવતની દિલ્હી મુલાકાત સમયે બંને વચ્ચે બેઠક યોજાશે. બુધવારે આ બેઠક પર સૌની નજર હતી પરંતુ આ મુલાકાત મુલતવી રહી. આ દરમિયાન બુધવારે ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ મોહન ભાગવત સાથે મુલાકાત યોજી હતી.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
