ભાગવત સમક્ષ અડવાણીએ ભાજપ મુદ્દે બળાપો ઠાલવ્યો

નવી દિલ્હીમાં મોહન ભાગવત અને અડવાણી વચ્ચેની બંધ બારણે યોજાયેલી મુલાકાત અંદાજે સવા કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુલાકાતમાં ભાજપમાં વર્તમાન પરિસ્થિતિની સાથે આગામી લોકસભા ચૂંટણી સહિતના વિવિધ મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચાર સમિતિની કમાન સોંપાયા બાદ નારાજ અડવાણી સાથે સંઘનાં પ્રમુખની આ પહેલી મુલાકાત હતી. બેઠકમાં પક્ષની હાલની પરિસ્થિતી અંગે ચર્ચા કરવામાં આવી છે. આ મુલાકાત બુધવારે થવાની હતી પરંતુ અડવાણીની તબીયત ખરાબ હોવાને કારણે તે થઈ શકી નહોતી.
નોંધનીય છે કે સંઘના મોહન ભાગવતની દરમિયાનગીરી બાદ જ અડવાણી તેમનુ રાજીનામુ પાછું ખેંચવા માટે રાજી થયા હતા. તે સમયે એવું નક્કી થયું હતું કે ભાગવતની દિલ્હી મુલાકાત સમયે બંને વચ્ચે બેઠક યોજાશે. બુધવારે આ બેઠક પર સૌની નજર હતી પરંતુ આ મુલાકાત મુલતવી રહી. આ દરમિયાન બુધવારે ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ મોહન ભાગવત સાથે મુલાકાત યોજી હતી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
