અજમલ કસાબનો શબ્દ: મારી કોઇ ઇચ્છા નથી
ડૉક્ટરોએ અજમલ કસાબને મૃત જાહેર કર્યો છે. અજમલ કસાબને સોમવારે પુણેની જેલમાં લાવવામાં આવ્યો હતો. અજમલ કસાબ મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ હતો, જ્યાંથી તેને પુણેની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિએ મુંબઇ 26/11 હુમલાના ગુનેગાર આમિર અજમલ કસાબની દયાની અરજી નકારી કાઢી હતી. અજમલ કસાબે ફાંસીથી બચવા માટે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી આપી હતી. પરંતુ રાષ્ટ્રપતિએ તેને નકારી કાઢી હતી.
રાષ્ટ્રપતિએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ બાદ અજમલ કસાબની દયાની અરજીને નકારી કાઢી હતી. અજમલ કસાબની દયાની અરજીને નકારી કાઢવાના તમામ દસ્તાવેજો પર રાષ્ટ્રપતિની સહીઓ થઇ ગઇ હતી. રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયને દયા અરજીને નકારી કાઢ્યાના બે મહિના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મિડીયાને મળતી માહિતી મુજબ જેલ સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રારા દયાની અરજીએ નકારી કાઢ્યા બાદ અજમલ કસાબને ફાંસીએ ચઢાવતાં પહેલાં બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. એક સમાચાર ચેનલના અહેવાલ મુજબ કહેવામાં આવે છે કે જેલ સૂત્રોએ જણાવ્યું હતું કે પુણેની યરવડા જેલમાં અજમલ કસાબને ફાંસીએ ચડાવતાં પહેલાં યેને સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.
અજમલ કસાબને બુધવારે સવારે 7.30 વાગે અજમલ કસાબને યરવડા કેન્દ્રીય જેલમાં ફાંસી આપવામાં આવી છે. અજમલ કસાબને મુંબઇ પર થયેલા ક્રુર હુમલાની ચોથી વરસીના ઠીક પાંચ દિવસ પહેલાં ફાંસી આપવામાં આવી છે. મુંબઇ હુમલામાં 166 લોકોના મોત નિપજ્યાં હતાં.