U.P Budget:219 નવી યોજનાઓ માટે 7787 કરોડ રૂપિયા
મુખ્યમંત્રીએ વિધાનસભામાં આપેલા બજેટ ભાષણમાં યુવકો, ખેડૂતો, અલ્પસંખ્યકો, વિદ્યાર્થીઓ, બાળકીઓ તથા રિકશા ચાલકોના કલ્યાણ માટે પોતાની સરકારની પ્રાથમિકતા યાદીમાં સર્વોચ્ચ ગણાવતાં કહ્યું હતું કે આ વર્ગો માટે બજેટમાં યોગ્ય જોગવાઈ કરવામાં આવી છે.
તેમને 12મી પંચવર્ષિય યોજનામાં કૃષિના લક્ષ્યાંકિત દરને 4.9 ટકા રાખતાં આગામી નાણાંકીય વર્ષમાં કૃષિ અને સંબંધિત સેવાઓ માટે 17174 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે, જ્યારે આ દરમિયાન પ્રદેશમાં સરેરાશ 8.5 ટકાના વિકાસ દર પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખ્યો છે અને તેના માટે પ્રસ્તાવિત બજેટમાં 26641 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે, જે નાણાંકીય વર્ષ 2012-13 ના મુકાબલે 25 ટકા વધારે છે.
અખિલેશ યાદવે સદનને જણાવ્યું હતું કે શિક્ષાના વિસ્તાર અને ગુણવત્તામાં સુધારો લાવવા માટે પ્રસ્તાવિત બજેટમાં 32886 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે દાકતરી, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્ર માટે 10645 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે નાણાંકીય વર્ષ 2012-13ની તુલનામાં 12.1 ટકા વધારે છે.