કેન્દ્ર સાથે વિવાદને કારણે આરબીઆઇ ગવર્નર રાજીનામુ આપી શકે છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે જે રીતે તકરાર ખુલીને સામે આવી છે. ત્યારપછી આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ પોતાના પદથી રાજીનામુ આપી શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે જે રીતે તકરાર ખુલીને સામે આવી છે. ત્યારપછી આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ પોતાના પદથી રાજીનામુ આપી શકે છે. સૂત્રો અનુસાર સરકાર સાથે વિવાદ જાહેર થયા પછી ઉર્જિત પટેલ રાજીનામુ આપવાની તૈયારી કરી રહ્યા છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે જે રીતે આરબીઆઇ ડેપ્યુટી ગવર્નરે કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય બેંક પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો ત્યારપછી આ આખો મામલો મીડિયામાં આવી ગયો.
ખરેખર આ પ્રકારની રિપોર્ટ સામે આવી છે કે સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેક્શન 7 લાગુ કરી શકે છે. તેના અનુસાર સરકારને અધિકાર છે કે તેઓ આરબીઆઇ ગવર્નરને ગંભીર અને જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કરવા માટે નિર્દેશ આપી શકે છે. આ સેક્શનનો દેશની આઝાદી પછી આજ સુધી ઉપયોગ નથી કરવામાં આવ્યો. એવી પરિસ્થિતિમાં જો સરકાર તેનો ઉપયોગ કરે છે તો આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ તેમના પદથી રાજીનામુ આપી શકે છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે RBIને પૂછ્યું, લોકોને ઓછા વ્યાજ દરનો ફાયદો કેમ નથી મળતો?