સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહને હાજરીમાંથી મળી રાહત
મુંબઇ, 10 નવેમ્બર: કેન્દ્રીય તપાસ બ્યૂરોની વિશેષ કોર્ટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સોહરાબુદ્દીન શેખ નકલી અથડામણ કેસમાં વ્યક્તિગત હાજરીમાંથી છૂટ આપી દીધી છે.
શાહના વકીલ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે તેમને આખા દેશમાં રાજનૈતિક પ્રવાસ, બેઠકો, અને અન્ય રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પ્રવાસ કરવો પડે છે. માટે કોર્ટની દરેક સુનાવણીમાં હાજર રહેવું તેમના માટે સંભવ નથી. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દિલ્હી અને ઝારખંડ સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ અમિત શાહે ત્યાં ઉપસ્થિત રહેવું પડે તે જરૂરી છે.

અત્રે નોંધનીય છે કે આ કેસના પગલે અમિત શાહને ગુજરાતની બહાર રહેવા ફરમાન આપવામાં આવ્યું હતું, બાદમાં આખો કેસ મુંબઇ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો. જોકે અમિત શાહે રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રીય કામગીરી કરી અને લોકસભામાં ઉત્તર પ્રદેશના પ્રભારી રહેતા પાર્ટીને સૌથી વધારે બેઠકો પર જીત અપાવી. જેના પગલે તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
