For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહને હાજરીમાંથી મળી રાહત

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 10 નવેમ્બર: કેન્દ્રીય તપાસ બ્યૂરોની વિશેષ કોર્ટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સોહરાબુદ્દીન શેખ નકલી અથડામણ કેસમાં વ્યક્તિગત હાજરીમાંથી છૂટ આપી દીધી છે.

શાહના વકીલ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે તેમને આખા દેશમાં રાજનૈતિક પ્રવાસ, બેઠકો, અને અન્ય રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પ્રવાસ કરવો પડે છે. માટે કોર્ટની દરેક સુનાવણીમાં હાજર રહેવું તેમના માટે સંભવ નથી. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દિલ્હી અને ઝારખંડ સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ અમિત શાહે ત્યાં ઉપસ્થિત રહેવું પડે તે જરૂરી છે.

amit shah
ન્યાયાધીશે જણાવ્યું કે જ્યારે પણ જરૂરીયાત રહેશે આરોપીએ કોર્ટમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવશે. ગત સપ્ટેમ્બરમાં સીબીઆઇએ શાહ અને અન્ય પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો પર કેસ નોંધ્યો હતો.

અત્રે નોંધનીય છે કે આ કેસના પગલે અમિત શાહને ગુજરાતની બહાર રહેવા ફરમાન આપવામાં આવ્યું હતું, બાદમાં આખો કેસ મુંબઇ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો. જોકે અમિત શાહે રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રીય કામગીરી કરી અને લોકસભામાં ઉત્તર પ્રદેશના પ્રભારી રહેતા પાર્ટીને સૌથી વધારે બેઠકો પર જીત અપાવી. જેના પગલે તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

English summary
A special CBI court here today granted exemption from appearance to BJP President Amit Shah, an accused in the Sohrabuddin Sheikh fake encounter case, till the framing of charges.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X