For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દશેરા રેલીમાં ભાગવતે કેમ છેડ્યો રામ રાગ, આ છે કારણ

દશેરા રેલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહિન ભાગવતે કહ્યુ કે રામ મંદિર બનવુ જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું સમર્થન કરતા આવ્યા છે. ભાજપ પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં પણ આને શામેલ કરતી આવી છે. જો કે એવુ જોવામાં આવ્યુ છે કે ભાજપના સત્તામાં હોવા પર પાર્ટી અને તેની સાથે જોડાયેલા સંગઠન લગભગ આ મુદ્દે નરમ વલણ અપનાવી લે છે. મોહન ભાગવતે આ મુદ્દે ઘણુ આક્રમક વલણ બતાવ્યુ છે. દશેરા રેલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહિન ભાગવતે કહ્યુ કે રામ મંદિર બનવુ જરૂરી છે. એના માટે કોઈ પણ રીતે રસ્તો કાઢવામાં આવે. સરકારે આના માટે કાયદો બનાવવો જોઈએ. ભાગવતના આ વલણના ઘણા અર્થ નીકળે છે.

આ પણ વાંચોઃ એમ જે અકબર માનહાનિ કેસઃ 31 ઓક્ટોબરે સાક્ષીઓના નિવેદનનું પરીક્ષણઆ પણ વાંચોઃ એમ જે અકબર માનહાનિ કેસઃ 31 ઓક્ટોબરે સાક્ષીઓના નિવેદનનું પરીક્ષણ

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી

સુપ્રીમ કોર્ટમાં 29 ઓક્ટોબરથી રામ મંદિર-બાબરી મસ્જિદ સંપત્તિ વિવાદ પર સુનાવણી શરૂ થઈ રહી છે. આ પહેલા પ્રમુખ મોહન ભાગવતે રામમંદિર નિર્માણ અંગે જે રીતે તેવર બતાવ્યા છે કે તેને આ વર્ષના અંતમાં યોજાનારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ફાયદાની કોશિશ તરીકે પણ જોવામાં આવી શકે છે. ડિસેમ્બરમાં રાજસ્થાન, તેલંગાના અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યોમાં ચૂંટણી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ખૂબ જ સમર્થન ગઈ લોકસભા અને વિધાનસભામાં ભાજપને મળ્યુ હતુ. વિશ્લેષકોનું માનવુ છે કે ભાજપના પક્ષમાં ગઈ ચૂંટણી જેવો માહોલ નથી. એન્ટી ઈન્કમબન્સીનો ભાજપને સામનો કરવો પડી રહ્યો છે તો ખેડૂતો અને વેપારીઓના મુદ્દા પર પણ પાર્ટી ઘેરાતી જોવા મળી રહી છે. રામ મંદિરના મામલે હવા આપીને બીજા મુદ્દાઓને પાછળ રાખવા અને પોતાને આ મુદ્દે વધુ પ્રતિબદ્ધ બતાવવા તેવી આરએસએસ અને ભાજપની કોશિશ હોઈ શકે છે.

લોકસભા ચૂંટણી પર નજર

લોકસભા ચૂંટણી પર નજર

વર્ષના અંતમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના શોરબકોરમાં આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચર્ચા ઓછી છે પરંતુ તે હકીકત છે કે રાજકીય દળોએ લોકસભા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપની સરકાર એક તરફ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ઘેરાયેલી છે તો વળી, રામ મંદિર જેવા મુદ્દાઓ પર પણ વિપક્ષ તેમને માત્ર રાજકારણ કરવાની વાત કરી રહ્યુ છે. એવામાં અત્યારથી વલણને ભાજપ માટે કરવામાં આવે. એટલા માટે ભાગવતે સુપ્રીમ કોર્ટની સુનાવણીથી અલગ આ મુદ્દા પર આવી આક્રમકતા બતાવી છે.

નરમ વલણથી હિંદુ મતદારોમાં નારાજગી

નરમ વલણથી હિંદુ મતદારોમાં નારાજગી

2014 માં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીએ ઘણા વચનો આપ્યા હતા. એક તરફ વિકાસની વાત હતી તો બીજી તરફ હિંદુત્વનો પણ સહારો હતો. ભાજપના લોકો પણ એ માને છે કે રામ મંદિર જેવા મામલે નરમ વલણથી હિંદુત્વના નામે તેમને મળનારા મત જઈ શકે છે. એવામાં આ મુદ્દે આક્રમકતા, તે મતોને રોકવાની કોશિશ હોઈ શકે જેમણે ભાજપને હિંદુત્વના મુદ્દે મત આપ્યા. આક્રમક વલણથી મતદારોની નારાજગી ઘટાડવાની આ એક કોશિશ છે.

સંત સમાજ અને કટ્ટર હિંદુ સમાજને સાધવાની કોશિશ

સંત સમાજ અને કટ્ટર હિંદુ સમાજને સાધવાની કોશિશ

રામ મંદિર અંગે છેલ્લા કેટલાક સમાજથી સંતોનો પણ અવાજ ઉઠી રહ્યો છે. હાલમાં જ વિહિપે સંતોની એક મોટી બેઠક બોલાવી અને તેમાં રામ મંદિર બનાવવા માટે પ્રસ્તાવ પાસ કર્યો. પ્રવીણ તોગડિયાએ પણ હાલમાં જ આ મુદ્દે ઘણુ કડક વલણ બતાવ્યુ છે. કટ્ટર હિંદુઓના એક વર્ગે પણ સરકારના નરમ વલણ પર ટીકા કરી છે. ભાગવતના નિવેદનને પણ આ બધાને સાધવાની કોશિશ તરીકે જોઈ શકાય છે.

સરકાર અને કેડરને સંદેશ

સરકાર અને કેડરને સંદેશ

હાલના સમયમાં આરએસએસ અને ભાજપના કેડર જે મુદ્દાઓ પર અસહજ દેખાયા છે તેમાં રાફેલ અને મોંઘવારી જેવા મામલા છે. સાથે જ ખેડૂત પણ સતત આંદોલન કરી રહ્યા છે. વળી, હિંદુત્વના મુદ્દા પર પણ તે થોડા બેકફૂટ પર જ છે. ભાજપની જીતમાં આરએસએસ કેડરની ભૂમિકા રહે છે. તેમના ઉત્સાહપૂર્વક ચૂંટણીમાં ન જવાની મોટી અસર ભાજપના ચૂંટણી પરિણામ પર પડી શકે છે. એવામાં પોતાના કેડરને પણ ભાગવતે સંદેશ આપ્યો છે કે તે આક્રમકતા સાથે રામ મંદિર અને હિંદુત્વના મુદ્દે ચૂંટણીમાં જાય.

આ પણ વાંચોઃ 21 ઓક્ટોબરે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવશે પીએમ મોદી, જાણો કારણઆ પણ વાંચોઃ 21 ઓક્ટોબરે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવશે પીએમ મોદી, જાણો કારણ

English summary
Analysis of RSS Chief Mohan Bhagwat statement on ayodhya ram temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X