For Quick Alerts
For Daily Alerts
અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલથી અંતર વધાર્યું
અત્યાર સુધી અણ્ણા હઝારેના નેતૃત્વવાળા આંદોલનનું મુખ્યાલય દિલ્હી હતું. આ આંદોલન ઇન્ડિયા અગેનસ્ટ કરપ્શનના બેનર હેઠળ ચાલી રહી હતી, જેનું સંચાલન અરવિંદ કેઝરીવાલના હાથમાં હોવાનું માનવામાં આવે છે.
છેલ્લા ત્રણ દિવસોમાં અણ્ણા હઝારેએ બીજી વખત ભષ્ટ્રાચાર વિરોધી આંદોલનને લઇને ટિપ્પણી કરી છે. આ ટીપ્પણીને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અણ્ણાએ આંદોલનમાં જોડાવવાની ઇચ્છા ધરાવતા લોકોને પોતાના સંપર્ક સ્થળ રાલેગણ સિદ્ધિમાં ચાલી રહેલા ભષ્ટ્રાચાર વિરોધી જન આંદોલનમાં જોડાવવાનું આહવાન આપ્યું છે.
અણ્ણા હઝારે બ્લોગમાં કહ્યું છે કે શાસકપક્ષ અને વિપક્ષી દળો ભષ્ટ્રાચારને દૂર કરવા બાબતે જરાપણ ગંભીર નથી. હાલમાં દાનને લઇ થયેલા ખુલાસામાં દાન આપનારાઓને લઇને જાણકારી અસ્પષ્ટ છે.
Comments
anna hazare arvind kejriwal ralegan siddhi india against corruption delhi અણ્ણા હઝારે અરવિંદ કેઝરીવાલ રાલેગણ સિદ્ધિ ઇન્ડિયા અગેનસ્ટ કરપ્શન દિલ્હી
English summary
In an apparent sign of distancing himself from Arvind Kejriwal-led group's political foray, Anna Hazare said politics will not deliver a better future for people and asked those planning to join his anti-corruption movement to contact him in Ralegan Siddhi.
Story first published: Monday, September 17, 2012, 15:34 [IST]