સિખો વિરોધી રમખાણો કેસ : 3 ગુનેગારોને આજીવન કેદની સજા

આ ત્રણ અપરાધીઓમાં બલવાન ખોકર (ભૂતપૂર્વ સુધરાઈસભ્ય), ગિરધારી લાલ અને કેપ્ટન ભાગમલનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે અપરાધી મહેન્દર યાદવ (ભૂતપૂર્વ વિધાનસભ્ય) અને કિશન ખોકરને રમખાણોમાં તેમની ભૂમિકા બદલ ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
સીબીઆઈ તપાસ એજન્સીએ 58 વર્ષના બલવાન ખોકર, 68 વર્ષના ગિરધારી લાલ અને 85 વર્ષના કેપ્ટન ભાગમલને ફાંસીની સજા કરવાની માગણી કરી હતી. આ ત્રણેય અપરાધીને ગઈ 30 એપ્રિલે જિલ્લા અને સેશન્સ જજ જે.આર. આર્યને હત્યા માટે કસુરવાર જાહેર કર્યા હતા.
સીબીઆઈએ કોર્ટમાં ફાંસીની સજાના ટેકામાં એવી દલીલ કરી હતી કે આ ત્રણેય અપરાધીએ પૂર્વયોજિત કોમી રમખાણો કરાવ્યા હતા. જે વિસ્તારમાં રમખાણો થયા હતા ત્યાં બલવાન ખોકરની દાદાગીરી ચાલતી હતી. તેની પાસે કેરોસીનની ડિલરશીપ પણ હતી અને નિર્દોષ શીખો પર હુમલો કરી તેમની હત્યા કરનાર ટોળાનો તે રીંગ લીડર હતો.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
