આસારામ બાપુ આજે હાજર નહીં થાય તો થશે ધરપકડ
નવી દિલ્હી/જોધપુર, 30 : આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુને આપવામાં આવેલા જોધપુર પોલીસના સમનનો સમય આજે સમાપ્ત થાય છે. આની સાથે જ આસારામ પર ધરપકડનો ભય વધતો જાય છે. જો આજે તેઓ પૂછપરછ માટે જોધપૂર પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેમની ધરપકડ થઇ શકે છે. જોકે આસારામ બાપુના પુત્ર નારાયણ સાઇએ જણાવ્યું હતું કે બાપુ આજે જોધપુર પોલીસ સમક્ષ પોતાનું આત્મસમર્પણ કરે તેવી શક્યતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ શારીરિક શોષણના એક મામલામાં આરોપી છે. તેમની પર 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. જોકે આસારામે પોતાની ઉપર લાગેલા આ આરોપોનું ખંડન કરતા જણાવ્યું કે આની પાછળ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો હાથ છે. તેમણે પોલીસને 19 સપ્ટેમ્બરના સમય સુધીની માંગ કરી હતી, પરંતુ પોલીસે તેને નામંજૂર કરી દીધી.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે આસારામની સામે લાગેલા આરોપોની તપાસના પરિણામના આધાર પર તેમની સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. સમનમાં આસારામ બાપુએ 30 ઑગસ્ટ સુધી પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.