રિમાન્ડ બાદ આસારામને પોલીસે પૂછ્યા હતા આ 13 પ્રશ્નો
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: એક કિશોર સાથે જાતિય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા આસારામની ધરપકડ કર્યા બાદ પોલીસે તેમનો પોન્ટેસી ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે તે નપુસંક નથી અને તે આ પ્રકારના અપરાધને અંજામ આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આસારામે કહ્યું હતું કે તે નપુસંક છે અને તે આ પ્રકારનો ગુનો કરી ન શકે. આ ઉપરાંત આસારામે પોલીસને ગુના સંબંધી પુછપરછ કરી હતી.
આસારામને જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના જવાબ તેમને ના બરાબર આપ્યા હતા. આસારામે પહેલાં પણ કહ્યું હતું કે તેમને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તેમને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા હતા.
જુઓ પોલીસે આસારામને કયા-કયા પ્રશ્નો પૂછ્યા હતા
આ પ્રશ્નોના આધારે પોલીસકેસમાં આસારામની સંલિપ્તતાની તપાસ કરી રહી છે, પોલીસનું કહેવું છે કે તેમને પૂછપરછમાં સહયોગ કર્યો.

1
શું તમે ઘટના દિવસે (15 ઓગષ્ટ)ના રોજ મણાઇ આશ્રમમાં હતા?

2
શું તમારા બોલાવવા પર પીડિતા છોકરીનો પરિવાર આશ્રમમાં આવ્યો હતો?

3
તમે કયા હેતુથી આ લોકોને તમારી પાસે બોલાવ્યા હતા?

4
શું તમે તમારા સેવક શિવના માધ્યમથી પીડિત પરિવારને જોધપુર આવવાનો સંદેશો મોકલાવ્યો હતો?

5
તમે કયા કામ માટે પીડિત અને તેના પરિવારને બે સુધી આશ્રમમાં રાખ્યા?

6
શું પીડિત પહેલાંથી બિમાર હતી?

7
જો બિમાર હતી તો તેની સારવાર કયા પ્રકારે થઇ?

8
શું 15 ઓગષ્ટની રાત્રે પીડિતાને એકલી તમે આશ્રમમાં બોલાવી હતી?

9
શું ઘટનાની રાત્રે તમે પીડિતાની સાથે એકલાં હતા?

10
શું પીડિતાના માતા-પિતાને બહાર રહેવા માટે કહ્યું હતું?

11
શું પીડિતાને અંદર બોલાવ્યા બાદ કહ્યું હતું કે જોઇને આવ તારા માતા-પિતા ક્યાં છે?

12
શું તમે પીડિતા સામે નિર્વસ્ત્ર થયા હતા?

13
શું તમે પીડિતાને નિર્વસ્ત્ર થવા માટે કહ્યું હતુ?












Click it and Unblock the Notifications
