બાબરી કેસઃ સ્પેશિયલ CBI જજ એસકે યાદવનો લંબાવવામાં આવ્યો હતો કાર્યકાળ
એસકે યાદવ પર નક્કી સમયથી એક વર્ષ વધુ કાર્યરત છે. વાસ્તવમાં આ કેસ માટે ખાસ તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ છ ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી ધ્વંસ કરાવા સંબંધિત કેસમાં આજે સીબીઆઈ અદાલત પોતાનો ચુકાદો સંભળાવાની છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શુભારંભ થયા બાદ હવે બાબરી વિધ્વંસ કેસમાં ચુકાદાની ઘડી પણ આવી ગઈ છે. સીબીઆઈના સ્પેશિયલ જજ સુરેન્દ્રકુમાર યાદવ આજે આના પર ચુકાદો સંભળાવાના છે. ખાસ વાત એ છે કે એસકે યાદવ પર નક્કી સમયથી એક વર્ષ વધુ કાર્યરત છે. વાસ્તવમાં આ કેસ માટે ખાસ તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. બીજી રસપ્રદ વાત એ પણ છે કે આ ચુકાદો 30 સપ્ટેમ્બર, 2020એ આવી રહ્યો છે અને તેના ઠીક એક વર્ષ બાદ આ કેસમાં ચુકાદો સંભળાવાનો છે.

આજની તારીખ નક્કી કરી હતી
ઉલ્લેખનીય છે કે આ ચુકાદો 30 સપ્ટેમ્બર, 2020એ આવી રહ્યો છે અને ઠીક એક વર્ષ બાદ આ કેસમાં ચુકાદો સંભળાવાનો છે. વાસ્તવમાં જજ એસકે યાદવ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે જ રિટાયર થવાના હતા પરંતુ સુપ્રિમ કોર્ટે તેમને ન થવા દીધા. કોર્ટે પોતાના અનુચ્છેદ 142ના અધિકાર હેઠળ સ્પેશિયલ સીબીઆઈ જજ એસકે યાદવનો કાર્યકાળ લંબાવ્યો હતો. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ કોર્ટને ઓગસ્ટ 2020 સુધ આ કેસની ટ્રાયલ પૂરી કરવાની ડેડલાઈન આપી હતી અને કહ્યુ હતુ કે કોર્ટ જલ્દી આ કેસમાં ચુકાદો સંભળાવે ત્યારબાદ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે બાબરી વિધ્વંસ કેસમાં અંતિમ ચુકાદો સંભળાવવા માટે આજની તારીખ નક્કી કરી હતી.

કોર્ટમાં 351 સાક્ષીઓને હાજર કરવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદને વિધ્વંસ કરવામાં આવી હતી. બાબરી મસ્જિદ વિધ્વંસે ભારત-પાકિસ્તાન વિભાજન બાદ સૌથી ઘાતક હુલ્લડને જન્મ આપ્યો અને લગભગ આમાં 2000 લોકો માર્યા ગયા. આ કેસમાં કોર્ટે 351 સાક્ષીઓને હાજર કર્યા અને 600 દસ્તાવેજ પણ પુરાવા તરીકે રજૂ થઈ ચૂક્યા છે. સીબીઆઈએ તપાસ બાદ 49 લોકો સામે એફઆઈઆર કરી હતી. જેમાં 17 લોકોના મોત થઈ ગયા અને 32 લોકો પર કેસ ચાલ્યો, જેમાં અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતુંભરા, ચંપત રાય, મહંત ધર્મદાસ, સ્વામી સાક્ષી મહારાજ, મહંત નૃત્ય ગોપાલદાસ, પવન કુમાર પાંડેય, બ્રજ ભૂષણ સિંહ, રામવિલાસ વેદાંતી જેવા ઘણા નામચીન નામ શામેલ છે.

હોસ્પિટલમાં છે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ
તમને જણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, નૃત્ય ગોપાલદાસ, કલ્યાણ સિંહ અને સતીશ પ્રધાનને છોડીને અન્ય બધા 26 આરોપીઓ અદાલતમાં હાજર છે. વળી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ ગાઝિયાબાદના યશોદા હોસ્પિટલના કોવિડ-19ના પોતાના રૂમમાં સવારથી ટીવી જોઈ રહ્યા છે.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
