બેંગ્લોર વિસ્ફોટથી ભાજપને થશે ફાયદોઃ શકીલ અહેમદ

ભાજપે શકીલ અહેમદના નિવેદન પર પલટવાર કરતા કહ્યું છે કે, શકીલ અહેમદે આ પ્રકારનું નિવેદન આપવું જોઇતું નહોતું. તેમણે કોંગ્રેસ પર વિસ્ફોટને લઇને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપના શાહનવાઝ હુસૈને પ્રશ્ન ઉઠાવ્યો છે કે, શકીલ અહેમદ એવું કહીં રહ્યાં છે કે વિસ્ફોટથી ભાજપને ફાયદો થશે તો શું દેશમાં જેટલાં પણ વિસ્ફોટ થયાં છે તેનાથી કોંગ્રેસને ફાયદો થયો છે?
નોંધનીય છે કે, બેંગલોર ખાતે બુધવારે સવારે ભાજપનાની બહાર એક ધડાકો થયો છે. આ ધડાકામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ધડાકો થતા જ બેંગ્લોરમાં અફરા-તફરી મચી ગઈ છે. બેંગ્લોરના મલ્લેશ્વર વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો છે. જેમાં 3 ગાડીઓમાં આગ લાગી છે. આ બોમ્બ મારૂતિ ઓમની કારમાં રાખવામાં આવ્યો હતો. આ બોમ્બ ધમાકામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 15 વધુ લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
