અનિલ વિજના કોરોના સંક્રમિત હોવા પર ભારત બાયોટેકે આપી સફાઈ
અનિલ વિજના કોરોના સંક્રમિત થયા બાદ હવે ભારત બાયોટેકે પોતાની વેક્સીન વિશે સફાઈ આપી છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સામે ભારતને મોટી આશા બાયોટેકની કોવિડ-19 વેક્સીન કોવેક્સીન(COVAXINE) વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ વૉલેંટિયર તરીકે ભારત બાયોટેક કોવિડ-19 વેક્સીનની રસી લગાવનાર હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. શનિવારે તેમણે ખુદ ટ્વિટ કરીને પોતાના સંક્રમિત હોવાની માહિતી આપી છે. અનિલ વિજના કોરોના સંક્રમિત થયા બાદ હવે ભારત બાયોટેકે પોતાની વેક્સીન વિશે સફાઈ આપી છે. કંપનીએ કહ્યુ છે કે તે COVAXINE વેક્સીનના બે ડોઝ બાદ જ કોરોના વાયરસ સામે કારગર સાબિત થાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસો પર બ્રેક નથી લાગી રહી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ આજે એટલે કે શનિવારે દેશભરમાં કુલ 36652 નવા કેસ સામે આવ્યા જેમાંથી એક હરિયાણાા આરોગ્ય મંત્રી અનિલ વિજ પણ છે. અનિલ વિજના કોરોના સંક્રમિત થવાથી લોકો એ કારણે પણ આશ્ચર્યમાં છે કારણકે થોડા દિવસ પહેલા જ તેમને COVAXINE વેક્સીનની ટ્રાયલમાં વૉલેંટિયર તરીકે પહેલી રસી લગાવી હતી. આ દરમિયાન એ સમાચાર ઘણા છવાયેલા રહ્યા પણ હતા. અનિલ વિજના કોરોના સંક્રમિત થયા બાદ ભારત બાયોટેકની વેક્સીન પર પણ સવાલ ઉભા થવા લાગ્યા છે.
આ દરમિયાન ભારત બાયોટેક તરફથી નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે આરોગ્ય મંત્રી અનિલ વિજને રસી લગાવવા છતાં કોરોના સંક્રમિત થવાનુ કારણ જણાવ્યુ છે. કોવેક્સીનની ક્લીનિકલ ટ્રાયલ ડોઝ લેનાર હરિયાણાના આરોગ્ય મંત્રીના કોરોના હોવા પર ભારત બાયોટેકે સફાઈ આપીને કહ્યુ કે COVAXINE વેક્સીન 2 ડોઝ બાદ જ પ્રભાવકારી હોય છે. માનવ શરીરમાં આ કોરોના વાયરસ સામે રસીકરણના 14 દિવસો બાદ અસર દેખાય છે. COVAXINEને બે ડોઝ બાદ અસર દેખાવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. ભારત બાયોટેકે આગળ જણાવ્યુ કે ત્રીજા ફેઝની ટ્રાયલ રેંડમ છે. આમાં શામેલ 50 ટકા લોકોને પ્લાસીબો(દવાના ભ્રમમાં કોઈ સામાન્ય પદાર્થ) અને 50 ટકા લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે.
Covaxin clinical trials are based on a 2-dose schedule, given 28 days apart. The vaccine efficacy will be determined 14 days post the 2nd dose. Covaxin has been designed to be efficacious when subjects receive both doses: Bharat Biotech https://t.co/eT5YybkoLl
— ANI (@ANI) December 5, 2020
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત









Click it and Unblock the Notifications
