For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને ચૂંટણી પ્રચારની કમાન સંભવન નહીં: સિન્હા

By Super
|
Google Oneindia Gujarati News

yashwant-sinha
નવી દિલ્હી, 6 જૂનઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવાને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પક્ષના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ ગુરુવારે કહ્યું છે કે, ગોવામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં એવી ઘોષણા થવાનો કોઇ સંભાવના નથી. ગોવામાં 8 અને 9 જૂને થનારી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મોદીને પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવાનો નિર્ણય હોવાના અનુમાનો પર વિરામ મુકતા સિન્હાએ કહ્યું છે કે, આવા નિર્ણય દળની સંસંદીય બોર્ડની બેઠકમાં કરવામાં આવે છે.

સિન્હાએ એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે આવા નિર્ણય કરવા માટે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી ઘણો મોટો એકમ છે. ભાજપે પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે આવા મુદ્દાઓ પર સંસદીય બોર્ડમાં નિર્ણય કરવામાં આવશે. તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું ગોવાની બેઠકમાં નેતૃત્વનો મુદ્દો પ્રમુખ હશે, તો તેમણે કહ્યું કે સંસદીય બોર્ડ આ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય કરવા માટે અધિકૃત છે.

સિન્હાએ કહ્યાં અનુસાર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીમાં દેશની આર્થિક અને રાજનીતિક સ્થિતિ પર ચર્ચા થશે અને વિદેશ નીતિને પણ સંજ્ઞાન કરવામાં આવશે. એ પ્રશ્ન પર કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતા કોણ હશે, તો તેમણે કહ્યું કે, આ પ્રશ્ન પર હજુ કોઇ વિચાર નહીં કરાય. જ્યાં સુધી નેતૃત્વનો પ્રશ્ન છે તો યોગ્ય સમયે તેનો નિર્ણય કરવામાં આવશે.

સૌથી લોકપ્રિય નેતા હોવાના કારણે સામાન્ય ચૂંટણીમાં મોદી પક્ષનું નેતૃત્વ કરશે, તેના જવાબમાં તેમણે કહ્યું છે કે, હાલ આ બાબતને સંસંદીય બોર્ડ પર છોડું છું. સિન્હાએ એ વાતનો સ્વિકાર કર્યો છે કે, ભાજપ માટે એ જરૂરી છે કે તે એકતા દર્શાવે.

English summary
declaring Gujarat Chief Minister Narendra Modi BJP's campaign committee head, party leader Yashwant Sinha on Thursday said a decision on the leadership issue is unlikely at the Goa National Executive meet as it is too large a body to discuss it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X