બિહાર બંધને લઇને ભાજપા કાર્યકર્તા રસ્તા પર
પટના, 18 જૂન : બિહારમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનમાંથી જેડીયૂ દ્વારા છૂટા પડવાને વિશ્વાસ ઘાત ગણાવતા ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે એક દિવસના બિહાર બંધના એલાનની જાહેરાત કરી છે, જેનો સવારથી જ પ્રભાવ જોવા મળી રહ્યો છે. ભાજપ આજના દિવસને વિશ્વાસઘાત દિવસના રૂપમાં મનાવી રહી છે.
રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભાજપ કાર્યકર્તા માર્ગો પર ઉતરી આવ્યા છે અને બંધને સફળ બનાવવામાં લાગી ગયા છે. જહાનાબાદ જિલ્લામાં બંધ સમર્થકોને રાષ્ટ્રીય રાજમાર્ગ 83 અને 110ને બંધ કરી દીધો છે જ્યારે ભાગલપૂરના કહલગામમાં ચોક અને ચાર રસ્તાઓને જામ કરી દેવાયા છે. સીવાન-છપરા અને સીવાન-ગોલગંજ માર્ગને રોકીને ભાજપા કાર્યકર્તા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સામે નારેબાજી કરી રહ્યા છે. બંધના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે.
તેમજ બંધને પગલે રાજધાની સહિત આખા રાજ્યમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પટનાના બધા મુખ્ય સ્થળો અને ચાર રસ્તાઓ પર પૂરતી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે.