પીએમ મોદી પર વાંધાજનક ટીપ્પણી કરનાર લેખક સામે રસ્તા પર ઉતર્યા ભાજપના કાર્યકરો, 311 સામે FIR
તમિલનાડુમાં ચેન્નઈ પોલીસે ભાજપના 311 કાર્યકરો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ એચ.રાજાનો સમાવેશ થાય છે. પોલીસે બુધવારે મરિના બીચ પર ભાજપના કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા.
તમિલનાડુમાં ચેન્નઈ પોલીસે ભાજપના 311 કાર્યકરો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ એચ.રાજાનો સમાવેશ થાય છે. પોલીસે બુધવારે મરિના બીચ પર ભાજપના કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. તે સમયે આ લોકો તમિલ લેખક નેલાઇ કન્નન સામે વિરોધ કરી રહ્યા હતા. કન્નન એ જ લેખક છે જેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સામે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે બુધવારે પેરાબુરથી કન્નનની ધરપકડ કરી હતી. હકીકતમાં, રવિવારે તિરુનેલવેલીમાં નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કન્નનના કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કન્નન પર બે સમુદાયો વચ્ચે હિંસા ભડકાવવા અને શાંતિનો ભંગ કરવાના ઇરાદાપૂર્વક અપમાન સહિત ઘણા આરોપો મૂકવામાં આવ્યા છે.
Tamil Nadu: Chennai police files cases against 311 BJP workers including party's national general secretary H Raja. BJP workers were detained by the police yesterday at Marina Beach while they were protesting against Nellai Kannan over his remarks against PM Modi & HM Amit Shah.
— ANI (@ANI) January 2, 2020
સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ કન્નને વડા પ્રધાન મોદી અને અમિત શાહ વિરુદ્ધ મુસ્લિમો કેમ કાર્યવાહી નથી કરી રહ્યા તે અંગે "આશ્ચર્ય" વ્યક્ત કર્યો હતો.
આ મીટિંગમાં કન્નને અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે વડા પ્રધાન મોદીને પોતાના નિયંત્રણમાં રાખ્યા છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ એચ.રાજાએ તામિલનાડુ પોલીસની તમિલ લેખકના વિવાદિત નિવેદનમાં તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે મેં તમિલનાડુ પોલીસના ડાયરેક્ટર જનરલને વોટ્સએપ અને ઓનલાઇન ફરિયાદ કરી છે. હું તમિલનાડુ સરકારને તાકીદે કાર્યવાહી કરવા વિનંતી કરું છું.
પોલીસે તમિલ લેખક વિરુદ્ધ કલમ 504, 505 અને 505 (2) હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસ તેમને પકડવા પહોંચી ત્યારે કન્નનને છાતીમાં દુખાવો હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
-
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
