ઉત્તર પ્રદેશ: ફટાકડાની ફેક્ટરીમાં આગ, 8ના મોત

પોલિસ અધિકારી અશોક કુમાર સિંહના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં એક જ પરિવારના છ લોકોના મોત નિપજ્યાં છે જ્યારે પાડોશમાં રહેતી બે છોકરીનો સમાવેશ થાય છે.
અશોક કુમાર સિંહના આ અકસ્માત તે સમયે સર્જાયો હતો કે જ્યારે મોતીલાલ અને રામનારાયણના ઘરમાં ગેરકાનૂની રીતે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક વિસ્ફોટ થયો હતો.
તેમને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં લગભગમાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં કેટલાક લોકોની હાલત ગંભીર છે તેમને સારવાર અર્થે કાનપુર લઇ જવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
