For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Breaking News: ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા આપ્યુ રાજીનામુ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ, સુનાવણી પછી, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ગુરુવાર, 30 જૂને મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ લેવામાં આવશે. એકનાથ શિંદેની આગેવાની હેઠ

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ, સુનાવણી પછી, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ગુરુવાર, 30 જૂને મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ લેવામાં આવશે. એકનાથ શિંદેની આગેવાની હેઠળના 40 થી વધુ શિવસૈનિક ધારાસભ્યોએ બળવો કર્યા બાદ ઉદ્ધવ સરકાર મુશ્કેલીમાં હતી અને ફ્લોર પર તેની બહુમતી સાબિત કરવી અશક્ય માનવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

Uddhav Thackeray

મહારાષ્ટ્ર સરકારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આખરે શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે શિવસેના મારી હતી અને મારી જ રહેશે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે 9.30 કલાકે ફેસબુક લાઈવ પર સંબોધન કર્યું અને ત્યારબાદ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે બુધવારે બપોરે લગભગ 3.30 વાગ્યે શિવસેનાની અરજી પર સુનાવણી શરૂ કરી હતી. બુધવારે રાત્રે 9 વાગ્યે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં યોજાનાર ફ્લોર ટેસ્ટને લીલી ઝંડી આપી દીધી હતી. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ પણ MLC પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

હું અણધારી રીતે (સત્તા પર) આવ્યો છું અને આ રીતે હું બહાર જઈ રહ્યો છું. હું હંમેશ માટે નથી જતો, હું અહીં જ રહીશ અને ફરી એકવાર શિવસેના ભવનમાં બેસીશ. હું મારા બધા લોકોને ભેગા કરીશ. હું સીએમ અને એમએલસી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. તેમણે કહ્યું કે અમે નારાજ ધારાસભ્યોને મુંબઈ આવીને બોલવાની ઓફર પણ કરી હતી, આનાથી વધુ અમે શું કરી શકીએ.

મુખ્યમંત્રીએ બળવાખોર મંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેનું નામ લીધું અને કહ્યું- શિવસેનાએ ચાવાળો, સ્ટ્રીટ વેન્ડરને ઉભા કર્યા અને નેતાને ધારાસભ્ય બનાવ્યા, પરંતુ તેઓ એ જ ભૂલી ગયા. 24 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના નિર્ણયનો ઉલ્લેખ કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો તેઓ વિધાન પરિષદમાં નામાંકિત ધારાસભ્યોના પ્રસ્તાવ પર નિર્ણય લેતા હોત તો સારું હોત.

English summary
Breaking News: Uddhav Thackeray resigns before floor test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X