Breaking News: ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા આપ્યુ રાજીનામુ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ, સુનાવણી પછી, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ગુરુવાર, 30 જૂને મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ લેવામાં આવશે. એકનાથ શિંદેની આગેવાની હેઠ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ, સુનાવણી પછી, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ગુરુવાર, 30 જૂને મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ લેવામાં આવશે. એકનાથ શિંદેની આગેવાની હેઠળના 40 થી વધુ શિવસૈનિક ધારાસભ્યોએ બળવો કર્યા બાદ ઉદ્ધવ સરકાર મુશ્કેલીમાં હતી અને ફ્લોર પર તેની બહુમતી સાબિત કરવી અશક્ય માનવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્ર સરકારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આખરે શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે શિવસેના મારી હતી અને મારી જ રહેશે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે 9.30 કલાકે ફેસબુક લાઈવ પર સંબોધન કર્યું અને ત્યારબાદ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે બુધવારે બપોરે લગભગ 3.30 વાગ્યે શિવસેનાની અરજી પર સુનાવણી શરૂ કરી હતી. બુધવારે રાત્રે 9 વાગ્યે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં યોજાનાર ફ્લોર ટેસ્ટને લીલી ઝંડી આપી દીધી હતી. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ પણ MLC પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
હું અણધારી રીતે (સત્તા પર) આવ્યો છું અને આ રીતે હું બહાર જઈ રહ્યો છું. હું હંમેશ માટે નથી જતો, હું અહીં જ રહીશ અને ફરી એકવાર શિવસેના ભવનમાં બેસીશ. હું મારા બધા લોકોને ભેગા કરીશ. હું સીએમ અને એમએલસી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. તેમણે કહ્યું કે અમે નારાજ ધારાસભ્યોને મુંબઈ આવીને બોલવાની ઓફર પણ કરી હતી, આનાથી વધુ અમે શું કરી શકીએ.
મુખ્યમંત્રીએ બળવાખોર મંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેનું નામ લીધું અને કહ્યું- શિવસેનાએ ચાવાળો, સ્ટ્રીટ વેન્ડરને ઉભા કર્યા અને નેતાને ધારાસભ્ય બનાવ્યા, પરંતુ તેઓ એ જ ભૂલી ગયા. 24 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના નિર્ણયનો ઉલ્લેખ કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો તેઓ વિધાન પરિષદમાં નામાંકિત ધારાસભ્યોના પ્રસ્તાવ પર નિર્ણય લેતા હોત તો સારું હોત.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
