જાનવાળા ફોટોગ્રાફર સાથે ન લાવ્યા તો, દુલ્હને જાન પાછી મોકલી
ઉત્તરપ્રદેશના બુલંદશહેરથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. અહીં એક વરરાજાને તેના લગ્નમાં ફોટોગ્રાફરને લઇ ન જવાનું મોંઘુ પડ્યું.
ઉત્તરપ્રદેશના બુલંદશહેરથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. અહીં એક વરરાજાને તેના લગ્નમાં ફોટોગ્રાફરને લઇ ન જવાનું મોંઘુ પડ્યું. ફોટોગ્રાફરને ન જોતા, દુલ્હને લગ્ન કરવાનો ઇનકાર કર્યો. દુલ્હને લગ્નનો ઇનકાર કર્યા પછી જાન દુલ્હન વગર પછી ફરી. પછી દુલ્હન પક્ષના લોકોએ અમરગઢ વિસ્તારના યુવક સાથે યુવતીના લગ્ન કરાવી દીધા. હવે આ બાબત આ ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: જે પંડિતે લગ્ન કરાવ્યા હતા, તે પંડિત સાથે લગ્ન પછી ભાગી દુલ્હન

શું છે કેસ
માહિતી અનુસાર, બુલંદશહેરના જહાંગીરાબાદ વિસ્તારના એક ગામમાં રવિવારે રાત્રે જાન આવી હતી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, જ્યારે જાન મોડી રાત્રે ગામ પહોંચી હતી, ત્યારે ગ્રામજનોએ જોયું કે જાન સાથે કોઈ પણ ફોટોગ્રાફર નથી. આ સમાચાર સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો અને ગામમાં જાન વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા લાગી હતી. આ વાતોને લઈને દુલ્હન પક્ષના લોકોની વરરાજાના પક્ષના લોકો સાથે બોલાચાલી થઇ અને ઝગડો થઇ ગયો.

પોલીસે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો
વધતી જતી સમસ્યાને જોતાં, એક વ્યક્તિએ આ ઘટના વિશે પોલીસને 100 નંબર પર જાણ કરી. પોલીસ, ઘટના સ્થળે પહોંચી હતી, તેણે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાત ન બની. ગુસ્સે ભરાયેલ દુલ્હન પક્ષે વરરાજા સહિત સમગ્ર જાનને પાછી મોકલી. પછી દુલ્હન પક્ષના લોકોએ વડીલોની સલાહથી આનન-ફાનનમાં અમરગઢ વિસ્તારના એક ગામમાંથી એક યુવાનને પસંદ કરીને તેમની પુત્રીના લગ્ન કરાવ્યા.

પોલીસે શું કહ્યું
જહાંગીરાબાદ કોતવાલીના ઇન્ચાર્જ નરેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે એક જાન આવી હતી, પરંતુ જાનમાં બેન્ડબાજા અને ફોટોગ્રાફરને લાવ્યા ન હતા, ત્યારે છોકરી પક્ષ અને છોકરા પક્ષ વચ્ચે વિવાદ થયો હતો. બંને પક્ષોમાં કોતવાલીમાં સમાધાન થયું અને દાદરીથી આવેલી જાન દુલ્હન વગર બેરંગ પાછી ફરી.












Click it and Unblock the Notifications
