આ બજેટથી ગરીબોને બળ મળશે, યુવાઓને સારું ભવિષ્ય મળશે: પીએમ મોદી
નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજુ કર્યું છે, જેમાં ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજુ કર્યું છે, જેમાં ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે. આ બજેટ પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ દેશને સમૃદ્ધ અને દરેક લોકોને સમર્થ બનાવતું બજેટ છે. આ બજેટથી ગરીબોને બળ મળશે અને યુવાઓને સારું ભવિષ્ય મળશે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટથી મધ્યમ વર્ગ આગળ વધશે વિકાસના કામમાં ગતિ આવશે. તેની સાથે સાથે ટેક્સ સ્ટ્રકચર અને જરૂરી ઢાંચાઓમાં આધુનિકરણ આવશે. પીએમ મોદી ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે ન્યૂ ઈન્ડિયા માટે બજેટમાં દેશના કૃષિક્ષેત્રને બદલવાનો રોડમેપ છે.

આપને જણાવી દઈએ કે બજેટ રજુ કરતા નિર્મલા સીતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે સસ્તા ઘર ખરીદનારને ટેક્સ છૂટ મળશે. 4.5 લાખનું ઘર ખરીદવા પર વ્યાજ પર 3.5 લાખની છૂટ મળશે, જે પહેલા 2 લાખની છૂટ હતી. એટલું જ નહીં પરંતુ ઈલેક્ટ્રિક કાર્સ પર 5 ટકા જીએસી કરી દેવામાં આવ્યો છે. ઈ-વ્હિકલ્સ પર જીએસટીને 12 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો.
આ પણ વાંચો: 'અન્નદાતા'ને 'ઉર્જાદાતા' બનાવવાને લઈ નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે કર્યું આ મોટું એલાન
નાણામંત્રી નિર્મલા સીતા રમન ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વર્ષ 2014 પછી 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. 5.6 લાખ ગામો આજે દેશમાં ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત થઇ. નિર્મલા સીતારમણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાણી માટે જલશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી, જળ આપૂર્તિના લક્ષ્યને લાગૂ કરવામાં આવી રહ્યો છે. 1500 બ્લૉકની ઓળખ કરવામાં આવી, સરકારનો લક્ષ્ય 2024 સુધી દરેક ઘરમાં જળ પહોંચાડવાની છે.
લોકસભા નિર્મલા સીતારમણ ઘ્વારા મધ્યમ વર્ગ માટે એક મોટી જાહેરાત કરતા જણાવવામાં આવ્યું કે 5 લાખ સુધીની આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી.
આ પણ વાંચો: બજેટ 2019: દરેક નાગરિકને 2024 સુધી સ્વચ્છ પીવાનું પાણી મળશે
નાણામંત્રી નિર્મલા સીતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના ઘ્વારા દેશમાં ઘણા બદલાવ આવ્યા છે. નિર્મલા સીતા રમન ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 400 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર પર 25% કોર્પોરેટ ટેક્સ લાગશે.
આ પણ વાંચો: આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી આપણે 50 ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનીશુઃ સીતારમણ
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
