મુંબઇ: 4 માળની ઇમારત ધસતાં 3નું મૃત્યુ
મુંબઇના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધસીશુક્રવારે સવારે બની હતી ઘટનાઆ અંગે વધુ વાંચો અહીં..
મુંબઇ પાસે ભિવંડીમાં શુક્રવારે એક ભયાનક ઘટના બની હતી. ચાર માળની એક ઇમારત ધસવાને કારણે અનેક લોકો મળબા નીચે દબાઇ ગયા હતા. આ ઘટનામાં 3 વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું તથા 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શુક્રવારે સવારે 8.30 વાગે આ ઘટના બની હતી. મળબા નીચે 7-8 લોકો ફસાઇ ગયા હતા. અહીં રસ્તાઓ ખૂબ સાંકડા હોવાને કારણે રાહત-બચાવ કાર્યમાં વાર થઇ હતી.
આ પહેલા 31 ઓગસ્ટના રોજ પણ ભિવંડી બજારમાં મોટી ઘટના બની હતી. આ ઘટનામાં 6 માળની ઇમારત ધસી પડી હતી, જેના કારણે લગભગ 34 લોકોનું મૃત્યુ થયું હતું. 117 વર્ષ જૂની આ ઇમારતનું નામ હુસૈની ઇમારત હતું અને તે સવારે લગભગ 8.15 વાગે પડી ગઇ હતી. આ ઇમારતમાં જ નાના બાળકોની એક પ્લે સ્કૂલ પણ હતી, જેનો સમય સવારે 10 વાગ્યાનો હતો. જો આ ઘટના બે કલાક મોડી બની હોત તો અનેક બાળકો પણ માર્યા ગયા હોત. એ પહેલાં 25 જુલાઇના રોજ મુંબઇના ઘાટકોપરમાં એક ઇમારત ધસી પડી હતી, જેમાં લગભગ 17 લોકોનું મૃત્યુ થયું હતું.