'હમારી બંદુક સે ગોલીયા નિકલેગી...,' CM યોગીને ચેતવણી આપનાર સપા MLAના પ્ટ્રોલ પંપ પર ચાલ્યુ બુલડોઝર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ નિવેદન આપનાર સપા ધારાસભ્ય શાહજીલ ઈસ્લામની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુરુવારે, બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (BDA) એ સીબીગંજ સ્થિત સપા ધારાસભ્યના પેટ્રોલ પંપ પર મોટી કાર્યવાહી કરી. આરોપ છે કે આ પે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ નિવેદન આપનાર સપા ધારાસભ્ય શાહજીલ ઈસ્લામની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુરુવારે, બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (BDA) એ સીબીગંજ સ્થિત સપા ધારાસભ્યના પેટ્રોલ પંપ પર મોટી કાર્યવાહી કરી. આરોપ છે કે આ પેટ્રોલ પંપ નકશા પાસ કર્યા વિના બનાવવામાં આવ્યો હતો. BDAએ પેટ્રોલ પંપ પર બુલડોઝર ચલાવ્યું. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ અને પીએસીના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. અધિકારીઓને જમીન સીલ કરવાની માહિતી પણ મળી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.

'તેમના મોઢામાંથી અવાજ નીકળશે તો અમારી બંદૂકોમાંથી ગોળીઓ નીકળશે...'
ભોજીપુરાના સપા ધારાસભ્ય શાહજીલ ઈસ્લામે 2 એપ્રિલે એક કાર્યક્રમ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. સપા ધારાસભ્યએ કહ્યું હતું કે છેલ્લા કાર્યકાળમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહમાં અમારી સાથે ગેરવર્તન કર્યું હતું. અમે સંખ્યામાં ઓછા હતા પરંતુ, આ વખતે જોરદાર વિરોધ છે. શાહજીલે કહ્યું હતું કે, જો તેના મોઢામાંથી અવાજ નીકળશે તો અમારી બંદૂકોમાંથી ધુમાડો નહીં, પરંતુ ગોળીઓ નીકળશે.

પોલીસે ગુનો નોંધ્યો હતો
ભડકાઉ ભાષણ માટે સપા ધારાસભ્ય સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે એસપી જિલ્લા ઉપાધ્યક્ષ સંજીવ કુમાર સક્સેના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી હતી. પોલીસે હિન્દુ યુવા વાહિનીના જિલ્લા પ્રભારી અનુજ વર્માની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો.

કોણ છે શાહજીલ ઈસ્લામ?
શાહજીલ ઈસ્લામ હાલમાં બરેલીની ભોજીપુરા સીટથી સપાના ધારાસભ્ય છે. શાહજીલ ચોથી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ BSP સરકારમાં મુસ્લિમ વક્ફના રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. શાહજીલ બરેલીના જૂના રાજકીય પરિવારમાંથી આવે છે, જેને બરેલીના અન્સારી મુસ્લિમોમાં પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. શાહજીલ ઈસ્લામ 2007ની વિધાનસભા ચૂંટણી વખતે બસપામાં જોડાયા હતા, પરંતુ આ વખતે બસપાએ બરેલી કેન્ટથી નહીં, પરંતુ જિલ્લાની ભોજીપુરા વિધાનસભાથી ઉમેદવાર બનાવ્યા હતા. જો તેઓ ત્યાંથી જીત્યા તો મુખ્ય પ્રધાન માયાવતીએ તેમને વક્ફ રાજ્ય પ્રધાન બનાવ્યા, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણી 2012માં બસપાએ તેમને ટિકિટ ન આપી. આના પર તેમણે મૌલાના તૌકીર રઝાની રાજકીય પાર્ટી IMC એટલે કે ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલમાંથી ચૂંટણી લડી અને જીતીને ફરીથી ધારાસભ્ય બન્યા. જોકે, બાદમાં તેઓ IMC છોડીને SPમાં જોડાયા હતા. તેમણે ભોજીપુરાથી SPની ટિકિટ પર 2017ની વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપની લહેરથી તેમનો પરાજય થયો હતો. આ વખતે તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સપાના ઉમેદવાર તરીકે ચોથી વખત ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા.
#WATCH: UP | District admin in Bareilly demolishes a petrol pump owned by SP MLA Shazil Islam. The petrol pump was allegedly constructed without a map approval. pic.twitter.com/qhkfp6l3So
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 7, 2022
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે












Click it and Unblock the Notifications
