સીબીઆઈ ડિરેક્ટર પદથી આકોલ વર્માને હટાવાયા, કોંગ્રેસે કહ્યું- તપાસથી ડરીને મોદીએ લીધો ફેસલો
સીબીઆઈ ડિરેક્ટર પદથી આકોલ વર્માને હટાવાયા
નવી દિલ્હીઃ સીબીઆઈ ચીફ આલોક વર્માને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ગુરુવારે ફરીથી થયેલ પેનલ કમિટીની બેઠકમાં આલોક વર્માને પદથી હટાવવાનો ફેસલો કરવામાં આવ્યો છે. સિલેક્શન કમિટીએ 2-1થી આલોક વર્માને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

આકોલ વર્માને હટાવાયા
સિલેક્શન કમિટીના ફેસલા પર કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું કે આ ફેસલો બદલાની કાર્યવાહી છે. જ્યારે સિલેક્શન કમિટીમાં સામેલ લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વર્માને પદ પરથી હટાવાયાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે આ ફેસલા પ સવાલ ઉઠાવતા કહ્યું કે પીએમ મોદી તપાસથી ડરી ગયા છે, જે કાણે તેમણે આ ફેસલો લીધો છે.

મોદીએ વર્માને સાંભળ્યા પણ નહિ?
કોંગ્રેસે કહ્યું કે પીએમ રાફેલ કૌભાંડની સંભવિત તપાસથી ભયભીત છે. માટે તેમણે આલોક વર્માને પદ પરથી હટાવવાનો ફેસલો લીધો છે. આલોક વર્માને હટાવાયા બાદ કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે આલોક વર્માને હટાવાયા પહેલા તેમને પોતાની વાત રાખવાનો મોકો નહોતો મળ્યો. જેમાં સ્પષ્ટ છે કે પીએમ મોદી તપાસથી ડરી રહ્યા છે. તેઓ ન તો સ્વતંત્ર એજન્સીથી તપાસ ઈચ્છે છે કે ન જેપીસીનો સામનો કરવા ઈચ્છે છે.

કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યો
જ્યારે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આલોક વર્માને પદ પરથી હટાવવામાં આવતાં પ્રતિક્રિયા આપતાં કહ્યું કે રાફેલ મામલામાં તપાસથી ડરી સરકારે આ ફેસલો લીધો છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંગળવારે સીબીઆઈ ચીફનો પદભાર સંભાળ્યાના એક દિવસ બાદ જ તેમને પદ પરથી હટાવી દેવા દર્શાવે છે કે પ્રધાનમંત્રી કેટલા ડરેલા છે. અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે પ્રધાનમંત્રી સીબીઆઈ પ્રમુખને કાઢી મૂકવાની એટલી જલ્દબાજીમાં કેમ છે? તેઓ સીબીઆઈ પ્રમુખને પોતાનો મામલો પસંદગિ સમિતિ સમક્ષ જૂ કરવાની મંજૂરી કેમ નથી આપતા?
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
