લાલુ સમેત સમગ્ર પરિવાર પર સંકટ, CBIએ 12 જગ્યાએ મારો છાપ્યો
સીબીઆઇએ ભૂતપૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ દાખલ કર્યો કેસ. હોટલની ફાણવણી મામલે છેંતરપીડીના આરોપમાં દાખલ કર્યો કેસ. આજે લાલુના ઘર સમેત 12 જગ્યાએ સીબીઆઇએ માર્યો છાપો.
સીબીઆઇ દ્વારા રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સીબીઆઇ દ્વારા શુક્રવારે સવારે લાલુ યાદના ઘર સમેત 12 અલગ અલગ જગ્યાએ છાપેમારી કરવામાં આવી છે. જે બાદ સીબીઆઇના એડિશનલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એક પ્રેસ કોન્ફર્ન્સ યોજીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે પટના, રાંચી, ભુવનેશ્વર, ગુરુગ્રામમાં સવારે 7 વાગ્યાથી અમે દરોડા પાડવાની શરૂઆત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે 5 જુલાઇ 2017નો રોજ સીબીઆઇએ લાલુ, તેજસ્વી, રાબડી દેવી, સરલ ગુપ્તા, વિજય કોચર, વિનય કોચર, મેસર્સ ડિલાઇટ માર્કેટિંગ કંપની લિમિટેડ અને IRCTCના MD રહી ચૂકેલા પીકે ગોયલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રાકેશે પ્રેસ વાર્તામાં જણાવ્યું કે IPC ઘારા 120 B, 420, Prevention of corruption Act, 1988ની ઘારા 31 D અને 32 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.

સાથે જ અપરાધિક કાવતરું અને છેતરપીંડીનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2006માં સંયુક્ત પ્રગતીશીલ ગઠબંધન એટલે કે યુપીએ સરકારના રેલ મંત્રી રહી ચૂકેલા લાલુ યાદવે હોટલ ફણવવા મામલે છેતરપીંડી કરી હોય તેવું સામે આવ્યું છે. જે હેઠળ સીબીઆઇએ લાલુ અને તેની પત્ની રાબડી દેવી અને પુત્રના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સીબીઆઇ દ્વારા દિલ્હી, પટના, રાંચી, પુરી અને ગુરુગ્રામ સમેત 12 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.આ સાથે જ વર્ષ 2006માં IRCTCના MD વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સીબીઆઇ એ લાલુની પત્ની રાબડી દેવીના પટનામાં આવેલા 10 સર્કુલર આવાસ પર પણ રેડ પાડી છે. લાલુ આજે રાંચીમાં છે જ્યાં ઘાસચાર કૌભાંડથી જોડાયેલી વિશેષ અદાલતમાં તે હાજરી આપશે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના બિહારના નેતા સુશીલ મોદીએ પણ લાલુ પર અનેક ભષ્ટ્રાચારના આરોપ લગાવ્યા છે. સુશીલ મોદીએ કહ્યું કે લાલુ યાદવ તેને દાનમાં મળેલી જમીન પાછી આપે. તેમનું કહેવું છે કે લાલુ યાદવ એક હજાર કરોડની બેનામી સંપત્તિનો માલિક છે. લાલુ યાદવે ભષ્ટ્રાચાર કરીને આ કમાણી કરી છે.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં









Click it and Unblock the Notifications
