સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ: નવો રાજપથ બનશે આવતા વર્ષે થનારી પરેડનો સાક્ષી, નવેમ્બર સુધી પુરૂ થશે કામ
રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના પુનર્વિકાસનું કામ નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા હોવાથી આવતા વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડ નવા તેજસ્વી રાજપથ પર યોજાશે. શુક્રવારે અધિકારીઓએ આ સંદર્ભે માહિતી
રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના પુનર્વિકાસનું કામ નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા હોવાથી આવતા વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડ નવા તેજસ્વી રાજપથ પર યોજાશે. શુક્રવારે અધિકારીઓએ આ સંદર્ભે માહિતી આપી હતી. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ નિર્માણ કાર્યની સમીક્ષા કર્યા પછી કહ્યું હતું કે નાગરિકોને એક તક મળશે જેનાથી તેઓને ગર્વ થશે.

એક ટવીટ દ્વારા આ માહિતી આપતાં તેમણે કહ્યું કે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ, મંત્રાલયના અધિકારીઓ અને સીપીડબ્લ્યુડી, કોન્ટ્રાક્ટર અને આર્કિટેક્ટ બિમલ પટેલે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પ્રોજેક્ટના ચાલુ બાંધકામોની સ્થિતિની સમીક્ષા કરી હતી. અત્યાર સુધીની પ્રગતિ સંતોષકારક છે અને કામ સમયસર થઈ રહ્યું છે. નાગરિકોને એવી તક મળશે જેમાં તેનો ગર્વ થશે.
મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજપથ પુનર્વિકાસ પ્રોજેક્ટમાં મોટા પાયે પત્થરનું કામ, અંડરપાસના બાંધકામો, ભૂગર્ભ સુવિધાઓનાં બ્લોક્સ અને બાગાયતી કાર્ય અને પાર્કિંગ માટે પૂરતી જગ્યા શામેલ છે. તેમણે કહ્યું કે કૃત્રિમ તળાવ પર બાર પુલ બનાવવામાં આવી રહ્યા છે. રાજપથની મુલાકાત લેતા લોકોને અદભૂત અનુભવ થશે. સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનો પુનર્વિકાસ નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે અને આવતા વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડ નવા વિકસિત રાજપથ ખાતે યોજાશે.
નોંધપાત્ર વાત એ છેકે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં નવું સંસદ ભવન, સેન્ટ્રલ સચિવાલયનું નિર્માણ, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના ત્રણ કિ.મી. લાંબા રાજપથનું નવીકરણ, નવા વડા પ્રધાનના નિવાસસ્થાન અને પીએમઓ અને નવા ઉપરાષ્ટ્રપતિ ગૃહનો સમાવેશ છે. .












Click it and Unblock the Notifications
