‘...કારણ કે તેનાથી મારા ઇન્ડિયાને નુક્સાન થાય છે’
નવી દિલ્હી, 24 જાન્યુઆરીઃ આમ આદમી પાર્ટીના સમર્થકો લેખક ચેતન ભગતથી નારાજ થઇ ગયા છે. તેઓ તેમની નારાજગી ગેરવર્તણૂક થકી વ્યક્ત કરી રહ્યાં છે. ‘આપ'ના સમર્થકો ચેતન ભગતને અપશબ્દો કહીં રહ્યાં છે. જે અંગેનો ખુલાસો ફેસબુક પેજ પર ચેતન ભગતે કર્યો છે. ચેતન ભગતે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, અચાનક છેલ્લા બે દિવસોથી ‘આપ' વિરુદ્ધ પોતાના વિચારો રાખવાના કારણે આપ સમર્થકો ભડકી ગયા છે.

ચેતન ભગતે પ્રશ્ન ઉઠાવ્યો કે આ બીજા રાજનેતાઓથી અલગ કેવી રીતે છે, જે વોટ માટે કંઇપણ કરે છે? સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે શું તમારી અને અમારી મિત્રતા માત્ર શરતો પર છે? શું મારે ડરવું જોઇએ કે તમે મારા પુસ્તકને નહીં વાંચો, તેથી હું જે અનુભવુ છું તે ના કહું? ચેતન ભગતે જવાબ આપતા માર્મિકતા સાથે લખ્યું છે કે, મિત્રો, એવું નહીં થાય, હું મારા રસ્તા પર ચાલીશ. હું તમારા વિચારોનું સન્માન કરું છુ, તમારે પણ મારા વિચારોનું સન્માન કરવું પડશે. તેમ છતાં, ધિક્કારવો હોય, ધમકાવવો હોય અને છોડવો હોય તો એ તમારો અધિકાર છે. ચુપ રહીને દેશ તોડવા કરતા દિલોને તોડવા સારા છે.
તમને જણાવી દઇએ કે ચેતન ભગતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધરણા માટે આ નવા રાજકીય દળ પર નિશાનો સાધતા તેને રાજકારણની એક આઇટમ ગર્લ કહ્યું છે. જેને લઇને આમ આદમી પાર્ટી તેનો વિરોધ કરી રહી છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
