દિલ્હીમાં ભડકાઉ ભાષણ આપનાર ત્રણેય નેતાઓ પર ભાજપ એક્શન લેઃ ચિરાગ પાસવાન
દિલ્હીમાં ભડકાઉ ભાષણ આપનાર ત્રણેય નેતાઓ પર ભાજપ એક્શન લેઃ ચિરાગ પાસવાન
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધી 38 લોકોના જીવ ચાલ્યા ગયા છે, જ્યારે હિંસાની અલગ અલગ ઘટનાઓમાં 250 લોકો ઘાયલ થયા છે. હિંસાની આ ઘટના બાદ રાજકીય ગરમાવો ચાલુ છે અને વિપક્ષી દળ ભાજપના ત્રણેય નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકર અને પ્રવેશ વર્મા પર ભડકાઉ ભાષણ આપવા અને હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે. જ્યારે હવે એનડીએના સહયોગી દળ એલજેપીએ પણ આ ત્રણેય નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ચિરાગ પાસવાને કાર્યવાહી કરવાની માંગ કરી
ચિરાગ પાસવાને દિલ્હી હિંસા પર નિવેદન આપતા કહ્યું, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ દિલ્હીમાં હિંસા ભડકાવવાના દોષી ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરે. તેમની વિરુદ્ધ પ્રશાસનિક કાર્યવારી પણ થવી જોઈએ. જણાવી દઈએ કે સોમવારે ઉત્તર પૂર્વી દિલ્હીના ખજૂરી, ચાંદબાગ, મુસ્તફાબાદ, મૌજપુર, બાબરપુર, ઝાફરાબાદ, ગોકુલપુરી અને આસપાસના વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી, જેમાં 38 લોકોના જીવ ચાલ્યા ગયા છે.

તો કદાચ હિંસા ના ફેલાત
ચિરાગ પાસવાને કહ્યું, આ સિલસિલો દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન શરૂ થયો હવે અનુરાગ ઠાકુરે કહ્યું 'ગોળા મારો ગદ્દારોને' જે બાદ ગોળી ચલાવવાની ઘટના અને હિંસા પણ થઈ. હાલમાં જ કપિલ મિશ્રાએ પોલીસ સમક્ષ પ્રદર્શનકારીઓને ધમકી આપી હતી. જો તેમની વિરુદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ હિંસા ના ફેલાત.

કપિલ મિશ્રાએ શું કહ્યું
જ્યારે હિંસા માટે કથિત રીતે સતત જવાબદાર ઠેરવવામાં આવી રહેલ ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે મને આતંકવાદી કહેવામાં આવી રહ્યો છે, મને વિલન કહેવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તાહિરના મુદ્દે કંઈ નથી બોલી રહ્યા. મારા ભાષણમાં કંઈપણ ભડકાઉ નહોતું. તેમાં હિંસાની કોઈ વાત નહોતી. જે લોકો દેશને વહેંચવાની વાત કરી રહ્યા છે અથવા જેમની છત પરથી પેટ્રોલ બોમ્બ મળ્યા છે તેમના પર કોઈ સવાલ નથી ઉઠાવતું.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
