મુંબઇમાં કોસ્ટ ગાર્ડ્સે વિસ્ફોટકોની શંકાથી વિદેશી જહાજ રોક્યું

આ અંગે પોર્ટના સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે JNPTની પાસેના ઉરણમાં કસ્ટમ્સ અને કોસ્ટ ગાર્ડે આ જહાજને રોક્યું હતુ. ગુપ્તચર એજન્સીએ માહિતી આપ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓએ કસ્ટમ્સ અને કોસ્ટ ગાર્ડને એલર્ટ કર્યા હતા કે જહાજમાં વિસ્ફોટકો હોઈ શકે છે. ત્યાર બાદ તેમણે જહાજની તપાસ શરૂ કરી હતી.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, જહાજમાં આખરે છે શું? તપાસ એજન્સીઓએ આ જહાજનાં રૂટ વિષે હાલ કોઇ પણ પ્રકારની વિગતો જણાવી નથી. આ સમગ્ર ઘટના અંગે માત્ર એટલી જાણકારી મળી છે કે તપાસ થઈ રહી છે.
નોંધનીય છે કે ભારતમાં થોડા સમય પહેલા હૈદરાબાદમાં ટ્વિન બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ દેશના અગ્રણી શહેરોમાં વિસ્ફોટો કરવાની ત્રાસવાદીઓની યોજના અંગે અવારનવાર ગુપ્તચર તંત્ર એલર્ટ આપતું રહ્યું છે. ત્યારે જો જહાજમાં મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળી આવે તો તંત્રને મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં સફળતા મળી કહેવાશે. આ મુદ્દે વધારે તપાસ કર્યા બાદ જહાજ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
