મુંબઇમાં કોસ્ટ ગાર્ડ્સે વિસ્ફોટકોની શંકાથી વિદેશી જહાજ રોક્યું

આ અંગે પોર્ટના સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે JNPTની પાસેના ઉરણમાં કસ્ટમ્સ અને કોસ્ટ ગાર્ડે આ જહાજને રોક્યું હતુ. ગુપ્તચર એજન્સીએ માહિતી આપ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓએ કસ્ટમ્સ અને કોસ્ટ ગાર્ડને એલર્ટ કર્યા હતા કે જહાજમાં વિસ્ફોટકો હોઈ શકે છે. ત્યાર બાદ તેમણે જહાજની તપાસ શરૂ કરી હતી.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, જહાજમાં આખરે છે શું? તપાસ એજન્સીઓએ આ જહાજનાં રૂટ વિષે હાલ કોઇ પણ પ્રકારની વિગતો જણાવી નથી. આ સમગ્ર ઘટના અંગે માત્ર એટલી જાણકારી મળી છે કે તપાસ થઈ રહી છે.
નોંધનીય છે કે ભારતમાં થોડા સમય પહેલા હૈદરાબાદમાં ટ્વિન બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ દેશના અગ્રણી શહેરોમાં વિસ્ફોટો કરવાની ત્રાસવાદીઓની યોજના અંગે અવારનવાર ગુપ્તચર તંત્ર એલર્ટ આપતું રહ્યું છે. ત્યારે જો જહાજમાં મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળી આવે તો તંત્રને મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં સફળતા મળી કહેવાશે. આ મુદ્દે વધારે તપાસ કર્યા બાદ જહાજ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
