અમરનાથ યાત્રા દરમિયાન સ્ટિકી બોમ્બથી હુમલાની આશંકા, સુરક્ષાદળોએ બનાવી નવી રણનીતિ
આ મહિનાના અંતમાં અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રા દરમિયાન સ્ટીકી બોમ્બ હુમલાના ભયે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની ચિંતા વધારી દીધી છે. આ નવા ખતરાનો સામનો કરવા માટે સુરક્ષા દળોએ તેમની સુરક્ષા રણનીતિની સમીક્ષા કર
આ મહિનાના અંતમાં અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રા દરમિયાન સ્ટીકી બોમ્બ હુમલાના ભયે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની ચિંતા વધારી દીધી છે. આ નવા ખતરાનો સામનો કરવા માટે સુરક્ષા દળોએ તેમની સુરક્ષા રણનીતિની સમીક્ષા કરીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
જમ્મુ-કાશ્મીરમાં 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવાની છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સ્ટિકી બોમ્બથી ચિંતિત છે. આતંકવાદીઓના નવા હથિયાર બની ગયેલા સ્ટીકી બોમ્બનો સામનો કરવા માટે સુરક્ષા દળો માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સુરક્ષા દળોને ચિંતા છે કે આતંકવાદીઓ આનાથી મુસાફરોને નિશાન બનાવી શકે છે. સુરક્ષા દળો આ તીર્થયાત્રા માટે તેમની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયામાં ફેરફાર કરી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં જ સુરક્ષા દળોને કેટલાક 'સ્ટીકી બોમ્બ' મળી આવ્યા છે. જે બાદ એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં હાજર આતંકવાદી જૂથો પાસે આવા બોમ્બ હોઈ શકે છે. કેટલાક ધરપકડ કરાયેલા આતંકવાદીઓએ આવા બોમ્બ વિશે માહિતી પણ આપી છે. આવી સ્થિતિમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે યાત્રા દરમિયાન યાત્રાળુઓ અને સુરક્ષા દળોના વાહનોને આઈસોલેશનમાં રાખવામાં આવશે. યાત્રાનું સંચાલન કરનારાઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ વાહનોને લાવારીસ ન છોડે.
સ્ટીકી બોમ્બ અથવા મેગ્નેટ બોમ્બ આ બોમ્બ સરળતાથી વાહનો પર લગાવી શકાય છે અને તેને રિમોટ દ્વારા દૂરથી પણ નિયંત્રિત કરી શકાય છે. ત્રાસવાદીઓ ચોરીછૂપીથી તેને વાહનોમાં મૂકીને વિસ્ફોટ કરી શકે છે. જણાવી દઈએ કે 30 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા 11 ઓગસ્ટ સુધી ચાલશે. અમરનાથ યાત્રામાં લગભગ 3 લાખ લોકો ભાગ લે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં સુરક્ષાને લઈને ખૂબ જ કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.