ચોર કહ્યા બાદ ભાજપના બીજા મંત્રીએ રાહુલ ગાંધીને ગણાવ્યા નાલાયક બાળક
જેટલીએ કહ્યું- રાહુલ ગાંધી તો નાલાયક બાળક છે!
જબલપુરઃ કેટલાક દિવસો પહેલા જ ભાજપના મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ચોર કહ્યા હતા અને હવે નાણઆમંત્રી અરુણ જેટલીએ રાહુલ ગાંધી માટે મોટી વાત કહી છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન જેટલીએ રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા તેમને ક્લાસના નાલાયક બાળકનું બિરુદ આપ્યું. રાફેલ મુદ્દા પર એમણે કહ્યું કે ખાલી વિમાનની કિંમત અને તમામ સંસાધનોથી સુસજ્જિત વિમાનની કિંમતમાં ફરક હોય છે. કેટલાક લોકો જૂઠું બોલી રહ્યા છે. આવા લોકો ક્લાસના એ નાલાયક બાળકની જેમ છે જે 2 અને 2ના સરવાળાને પાંચ કહે છે અને જ્યારે મા કહે છે કે આવામાં તું હારી જઈશ તો તે કહે છે કે મા હું હારીશ ત્યારે જ્યારે હું માનીશ કે 2 અને 2 પાંચ નહિ બલકે ચાર થાય છે.

અરુણ જેટલીએ શિવરાજ સરકારના વખાણ કરતા કહ્યું કે મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકાર બન્યા બાદ દર વર્ષે 20 ટકા સુધીની વૃદ્ધિ થઈ છે અને બીમાર કહેવાતા રાજ્ય, દેશ અને દુનિયાનું સૌથી તેજીથી વિકસિત રાજ્ય બની ગયું. જબલપુરમાં રવિવારે સાંજે પ્રબુદ્ધ જન સંવાદ કાર્યક્રમ દરમિયાન જેટલીએ આમ તો દેશના દરેક જ્વલંત મુદ્દા પર વાત કરી પરંતુ રાફેલ પર સરકારનો પક્ષ રાખતા તેમણે રાહુલ ગાંધીની તુલના ક્લાસના નાલાયક બાળક સાથે કરી દીધી.
જેટલીએ આરબીઆઈની ગાઈડ લાઈન્સ, વ્યાપારીઓની સમસ્યાઓ અને જીએસટી જેવા તમામ મુદ્દા પર જેટલીએ જબલપુરના બુદ્ધિજીવિઓને સરકારના હેતુથી અવગત કરાવી પ્રદેશ અને દેશમાં ભાજપ સરકારને સમર્થન આપવાની અપીલ કરી છે.
આ પણ વાંચો- ભીમ આર્મીમાં થઈ બગાવત, ચંદ્રશેખર ઉપર લાગ્યા આ ગંભીર આરોપો












Click it and Unblock the Notifications
