ઈટલીમાં કોરોના વાયરસથી 17ના મોત, 85 ભારતીય વિદ્યાર્થીઓએ મદદ માટે પુકાર લગાવી
ઈટલીમાં કોરોના વાયરસથી 17ના મોત, 85 ભારતીય વિદ્યાર્થીઓએ મદદ માટે પુકાર લગાવી
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ખતરો હવે ચીનથી ઈટલી, દક્ષિણ કોરિયા અને ઈરાન જેવા દેશોમાં વધતો જઈ રહ્યો છે. ઈટલીમાં અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ગયાં છે. જ્યારે કેટલાય હજી પણ સંક્રમિત છે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે ઉત્તરી ઈટલીના પાવિયા શહેરમાં ફસાયેલ 85 ભારતીય વિદ્યાર્થીઓએ મદદ માટે પુકાર લગાવી છે. જેમાંથી કેટલાક ભારત વાપસી માટે ટિકિટ બુક કરાવી હતી, પરંતુ નવા મામલાને જોતા વિમાનોને રદ્દ કરી દેવામાં આવ્યાં.

ટાઈમ્સના રિપોર્ટ મુજબ યૂનિવર્સિટી ઑફ પાવિયાના એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટના એક સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા બાદથી વિદ્યાર્થીઓ ડરના છાંયડા હેઠળ રહેવા માટે મજબૂર છે. અત્યાર સુધીમાં 15 સ્ટાફને અલગ અલગ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. અહીં ઈન્ટરનેશનલ બિઝનેસ અને આત્રપ્રન્યોરશિપનો અભ્યાસ કરી રહેલ બેંગ્લોરની અંકિતાએ કહ્યું, અમારામાંથી અડધા વિદ્યાર્થીઓએ પરત જવા માટે ટિકિટ બુક કરાવી હતી પરંતુ દરરોજ ફ્લાઈટ રદ્દ કરવામાં આવી રહી છે અને નવી ટિકિટો ઘણી મોંઘી થઈ ગઈ છે.
આ 85 ભારતીય વિદ્યાર્થીઓમાં 25 તેલંગાણા, 20 કર્ણાટક, 15 તમિલનાડુ, 4 કરેળ, દિલ્હીથી 2 અને રાજસ્થાન, ગુરુગ્રામ અને દેહરાદૂનથી એક-એક છે. જેમાંથી 65 એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઈટલીમાં જ્યાં તેઓ રહે છે, ત્યાં ગ્રૉસરી શૉપમાં સામાન તેજીથી પૂરો થઈ રહ્યો છે. તેમને ડર છે કે સ્થિતિ ક્યાંક વધુ ના બગડે. માટે તેમણે ભારત સરકાર પાસે મદદ માંગી છે.
પુરુષોત્તમ કુમાર મધુ નામના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે 10 માર્ચે ભારત પરત ફરવાનું છે. પરંતુ તેને ખબર નથી કે વિમાન જશે કે નહિ. વિદ્યાર્થીએ કહ્યું, મને એ વાતનો પતો લાગ્યો છે કે ખાડી તરફથી જઈ રહેલ વિમાનોને રદ્દ કરી દેવામાં આવ્યા છે. ભારતીય લોકો એરપોર્ટ પરથી ઉતર્યા બાદ 10-15 દિવસ સુધી અલગ કેન્દ્રોમાં રાખવામાં આવે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
