Coronavirusથી બચવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે Mass gatherringથી બચવાની સલાહ આપી
Coronavirusથી બચવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે Mass gatherringથી બચવાની સલાહ આપી
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસના મામલા વધતા જઈ રહ્યા છે અને તાજા જાણકારી મુજબ હવે મહામારીના મામલા 150ને પાર પહોંચી ગયા છે. મહામારીના પ્રકોપને જોતા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી દેશવાસીઓને સલાહ આપવામાં આવી છે કે વધુ પ્રમાણમાં એકઠા થતા એટલે કે માસ ગેધરિંગથી બચો. જણાવી દઈએ કે અત્યાર સુધી ભારતમાં કોરોનાવાઈરસના કારણે ત્રણ લોકોના મોત થઈ ચૂક્યાં છે.
રાજ્યોને પણ એડવાઈઝરી મોકલાઈ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. પાંચ માર્ચની આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું કે આખી દૂનિયામાં વિશેષજ્ઞોએ સલાહ આપી છે કે કોવિડ-19 નોબલ કોરોનાવાઈરસની બીમારીને ફેલતી રોકવા માટે માસ ગેધરિંગથી બચો અને બની શકે તો તેને સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવે. જો કોઈ કારણે માસ ગેધરિંગનું આયોજન હોય તો રાજ્યોને સલાહ આપવામાં આવે કે તેઓ સાવધાનીઓ વિસે નિર્દેશિત કરવા માટે તમામ જરૂરી પગલાં ઉઠાવો. એડવાઈઝરી મુજબ કોઈપણ પ્રકારે સીવીએર એક્યૂટ રેસ્પીરેટરી ઈલનેસના કેસ અને કોવિડ-19 સહિત ઈંફ્લુએંજા જેવી બીમારીઓના ખતરાથી બચવા માટે આ આવશ્યક કરો.
Coronavirus: પ્રાઈવેટ હોસ્પિટલ, ડૉક્ટર્સ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ