For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લક્ષ્યથી ભટક્યું 'નિર્ભય', રસ્તામાં જ કરાયું નષ્ટ

|
Google Oneindia Gujarati News

બાલેશ્વર, 12 માર્ચ: ભારત દેશમાં વિકસિત મધ્યમ દૂર સુધી હુમલો કરનારી સબ સોનિક ક્રૂઝ મિસાઇલ 'નિર્ભય'નું ચાંદીપૂરના એકીકૃત પરિક્ષણ કેન્દ્રથી મંગળવારે પહેલી વખત પરિક્ષણ કરવામાં આવ્યું.

પોતાના પહેલા પરિક્ષણમાં નિર્ભય ક્રૂઝ મિસાઇલ નિશાનો સાધવામાં ચૂકી ગઇ હતી. રક્ષા સૂત્રોએ અનુસાર આ મિસાઇલનું પરિક્ષણ આજે સવારે કરવામાં આવ્યું હતું. પરીક્ષણ બાદ સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભય પોતાના લક્ષ્યથી ભટકી જવાના કારણે તેને રસ્તામાં જ નષ્ટ કરી દેવામાં આવી હતી.

nirbhay
આ પહેલા રક્ષા સૂત્રોએ જણાવ્યું કે મિસાઇલ પૂર્વાહ્ન લગભગ 11 વાગ્યાને 54 મિનિટે આઇટીઆરના પ્રક્ષેપણ સ્થળ-3થી એક મોબાઇલ લોંચર દ્વારા લોંચ કરવામાં આવી હતી. વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ મિસાઇલ જળ, થળ, અને આકાશમાંથી પણ પ્રક્ષેપિત કરી શકાય છે. તેની પાસે લક્ષ્યને વળગી રહેવાની કમાલની શક્તિ છે, તેમજ તેની નિયંત્રણ અને નિર્દેશન પ્રણાલી પણ ઘણી સારી છે. મિસાઇલ અચૂક નિશાનો સાધવાની અને રડારની પકડમાં નહી આવવાની ખુબીઓ પણ ધરાવે છે.

નિર્ભયને ડિઆરડીઓની બેંગલૂર સ્થિત પ્રયોગશાળા 'એરોનોટિકલ ડેવલોપમેન્ટ ઇસ્ટેબ્લિશમેન્ટ' દ્વારા વિકસિત કરવામાં આવી છે. ભારત પાસે બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઇલની ટેકનોલોજી છે જેને ભારત અને રશિયાએ સંયુક્ત રીતે બનાવી છે. બ્રહ્મોસ 290 કિલોમીટર દૂરથી પોતાના લક્ષ્યને વેધી શકે છે.

English summary
India's first indigenously developed sub-sonic cruise missile Nirbhay on Tuesday failed to hit the target in its maiden test-firing as it had to be terminated midway after deviating from the flight course.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X