દિલ્હી: અનલોકની પ્રક્રિયા શરૂ, 50 ટકા ક્ષમતા સાથે ખુલશે બાર-રેસ્ટોરન્ટ
કોરોનાને કારણે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પ્રતિબંધોને થોડી રાહત સાથે 28 જૂન સુધી લંબાવામાં આવ્યા છે. પબ્લિક પાર્ક, બગીચા, ગોલ્ફ ક્લબ, બહાર યોગા કરવા જેવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત બજારો, માર્કેટ કો
કોરોનાને કારણે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પ્રતિબંધોને થોડી રાહત સાથે 28 જૂન સુધી લંબાવામાં આવ્યા છે. પબ્લિક પાર્ક, બગીચા, ગોલ્ફ ક્લબ, બહાર યોગા કરવા જેવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત બજારો, માર્કેટ કોમ્પ્લેક્સ, મોલ્સને સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ રેસ્ટોરાં અને બારને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ્સ સવારે 8 થી 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે જ્યારે બાર બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

આ ચીજો પર પ્રતિબંધ
- તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, તાલીમ, કોચિંગ સંસ્થાઓ વગેરે બંધ રહેશે. ઓનલાઇન અને ડિસ્ટેંસ લર્નિંગ ક્લાસ ચાલુ રહેશે અને બઢાવો આપવામાં આવશે.
- સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, તહેવાર સંબંધિત કાર્યક્રમો અને આ માટે લોકોને એકઠા કરવા પર પ્રતિબંધ.
- બધા સ્વિમિંગ પુલ બંધ રહેશે. જો કે, જેઓ રમતગમત સાથે સંકળાયેલા છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લે છે તેમને આની મંજૂરી આપવામાં આવી છે.
- સિનેમા હોલ, થિયેટરો, બેંક્વેટ હોલ, મલ્ટિપ્લેક્સ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ બંધ રહેશે. સ્પા, જીમ, યોગ સંસ્થાઓ બંધ રહેશે.
આની મંજુરી
- તમામ સરકારી કચેરીના અધિકારીઓનો વર્ગ 100 ટકા ક્ષમતા સાથે ઓફિસમાં આવી શકે છે, જ્યારે બાકીના કર્મચારીઓ 50 ટકાની ક્ષમતા સાથે કચેરીમાં આવી શકે છે.
- લોકોને ખાનગી ઓફિસોમાં 50 ટકા ક્ષમતા સાથે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ઓફિસે આવવાની છૂટ છે.
- કરિયાણાની દુકાન, કોલોનીમાં ચાલતી દુકાનોને દરરોજ ખોલવાની છૂટ આપવામાં આવી છે. બિન-જરૂરી ચીજોની દુકાનો સવારે 10 થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
- બધા બજારો, સંકુલ અને મોલ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- રેસ્ટોરન્ટ્સ 50 ટકાની ક્ષમતા સાથે સવારે 8 થી 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- બાર 50 ટકાની ક્ષમતા સાથે બપોરે 12 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લા રહી શકે છે.
More From
-
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
