આચારસંહિતાના ભંગના બીજા કેસમાં કેજરીવાલને ઇસીની નોટિસ, શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધી માંગ્યો જવાબ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શનિવારે સવારે આઠ વાગ્યાથી થવાનું છે, પરંતુ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના ભંગ બદલ સમન અપાયું છે. તમ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શનિવારે સવારે આઠ વાગ્યાથી થવાનું છે, પરંતુ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના ભંગ બદલ સમન અપાયું છે. તમને જણાવી દઈએ કે બુધવારે તેમને ચૂંટણી આયોગે આચારસંહિતાના ભંગની ચેતવણી આપીને છૂટા કરવામાં આવ્યા હતા. નવો કેસ તેમના ટ્વીટર હેન્ડલ પર વિડિઓ અપલોડ કરવા માટે આચારસંહિતાનું ઉલ્લંઘન છે. આ કિસ્સામાં, તેઓએ શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચૂંટણી પંચને જવાબ આપવો પડશે.
અરવિંદ કેજરીવાલ દ્વારા ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો અપલોડ કરવાના મામલામાં ચૂંટણી પંચે તેમને શુક્રવારે એક નોટિસ આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આ કૃત્ય આચારસંહિતાનું ઉલ્લંઘન છે. ચૂંટણી પંચે કેજરીવાલને શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આયોગને પોતાનો જવાબ આપવા કહ્યું છે. કેજરીવાલ પર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને તેના ટ્વીટર હેન્ડલ પર એક વિડિઓ અપલોડ કરવાનો આરોપ છે.
આ પણ વાંચો: 2 લાખની લાંચ લેતા પકડાયો OSD, મનીષ સિસોદિયાએ આપ્યો આ જવાબ