Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

EUએ ભારતને અરિસો બતાવ્યો, અલ્પસંખ્યકો પર અત્યાચાર, માનવ અધિકાર અંગે વ્યક્ત કરી ચિંતા

ભારતમાં સાંપ્રદાયિક હિંસા અને જમ્મુ અને કાશ્મીરની સાથે ધાર્મિક લઘુમતીઓની સ્થિતિ, અનેક NGO પરના નિયંત્રણો સહિતની અનેક ચિંતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

નવી દિલ્હી, 30 એપ્રીલ : યુરોપના ટોચના માનવાધિકાર અધિકારીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) અને લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી સાથેની સત્તાવાર બેઠક દરમિયાન ભારતમાં સાંપ્રદાયિક હિંસા અને જમ્મુ અને કાશ્મીરની સાથે ધાર્મિક લઘુમતીઓની સ્થિતિ, અનેક NGO પરના નિયંત્રણો સહિતની અનેક ચિંતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. જોકે, ધ હિન્દુ દ્વારા આપવામાં એક અહેવાલ મુજબ, બેઠકો અંગે એનએચઆરસી અને લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નોંધોમાં આ વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉલ્લેખ નથી.

યુરોપિયન યુનિયને ચિંતા વ્યક્ત કરી

યુરોપિયન યુનિયને ચિંતા વ્યક્ત કરી

ધ હિંદુના અહેવાલ મુજબ, EU અધિકારીઓએ ભારત સરકારના લઘુમતી મંત્રાલય સાથે આ બાબતો અંગે ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે EUના માનવાધિકારના વિશેષપ્રતિનિધિ ઈમોન ગિલમોર રાયસિના સંવાદમાં ભાગ લેવા ભારતની મુલાકાતે આવ્યા હતા. દિલ્હી અને આ દરમિયાન તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે ભારતીય અધિકારીઓને મળ્યા હતા. આ ચર્ચા સોમવારથી શરૂ થઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસની બરાબર પહેલા કરવામાં આવી રહી છે, જેમાં તેઓ જર્મની,ડેન્માર્ક અને ફ્રાન્સ જવાના છે. વડાપ્રાધાન મોદીની આ યુરોપીયન મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમાં તેઓ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે પણમુલાકાત કરશે.

કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી?

કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી?

શુક્રવારના રોજ ભારતનો પ્રવાસ પૂરો કર્યા બાદ, ઈમોન ગિલમોરે ભારતના પ્રવાસ વિશે ઘણી અલગ-અલગ ટ્વીટ્સ કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમણે ફોરેનકોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટરી એક્ટ (એફસીઆરએ), અટકાયત, જામીન, રાજદ્રોહ અને આતંકવાદ વિરોધી કાયદા, UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓના સંદર્ભમાંNHRCની ભૂમિકા) જેવા મુદ્દાઓ પર ભારત સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.

ઈમોન ગિલમોરે જણાવ્યું હતું કે, તેઓએ બેઠક દરમિયાન લઘુમતી અને અંગત બાબતો પર પણ ચર્ચા કરી હતી. ગિલમોરે આ સૂચિમાં NHRC સંસ્કરણ પણ ઉમેર્યું,જે સરળ રીતે જણાવે છે કે, અધ્યક્ષ ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાએ વિશ્વભરમાં માનવ અધિકારોના કારણોને સુધારવા માટે EU પ્રતિનિધિમંડળને સાથે મળીને કામ કરવામાટે આહ્વાન કર્યું છે.

ભારત સરકારે જવાબ આપ્યો

ભારત સરકારે જવાબ આપ્યો

ધ હિન્દુના અહેવાલ મુજબ, EU માનવાધિકાર અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએપ્રતિનિધિમંડળને કથિત રીતે જણાવ્યું હતું કે, ભારતમાં 2014 બાદ એક પણ મોટો સાંપ્રદાયિક રમખાણ થયો નથી.. નકવીએ ગિલમોરની દલીલોને "અલગ ઘટનાઓ"તરીકે ફગાવી દીધી જેને "કોમી રંગ" આપવામાં આવ્યો છે.

નકવીએ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રયાસ નરેન્દ્ર મોદી સરકારને "વ્યાખ્યાયિત" કરવાનો છે. આવા સમયે મુખ્તાર અબ્બાસ નકવીએ ગિલમોરના ટ્વિટનો જવાબ આપ્યો નહતો. આ સાથે ગિલમોર અને નકવી વચ્ચેની મુલાકાત અંગે જે સત્તાવાર નિવેદન આવ્યું છે, તે આ અહેવાલોથી તદ્દન વિરુદ્ધ હતું અને લઘુમતી બાબતોના મંત્રી નકવીદ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે સમાજના તમામ વર્ગો સાથે વાત કરી છે, જેમાં લઘુમતીઓનો પણ સમાવેશ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X