ઈયૂ સભ્યો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું- આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટેલરેન્સ હોવું જોઈએ
ઈયૂ સભ્યો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું- આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટેલરેન્સ હોવું જોઈએ
યૂરોપીય સંઘના સભ્યોના 28 સભ્યોના પ્રતિનિધિમંડળે આજે પીએમ મોદીની તેમના આવાસે મુલાકાત કરી છે. આ સભ્યોની મુલાકાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ થઈ છે. આ દરમિયાન તેમણે કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરી અને અનુચ્છેદ 370 હટાવ્યા બાદની ત્યાંની સ્થિતિ વિશે જાણ્યું.

પીએમ મોદીએ ભારત સાથે ઈયૂના સંબંધોના મહત્વના વખાણ કર્યાં. જે પોતાના કાર્યકાળની શરૂઆતમાં જ ભારતના પ્રવાસ પર છે. પીએમઓએ જણાવ્યું કે પીએમ મોદીએ આશા વ્યક્ત કરી છે કે જમ્મુ-કાશ્મીર હિત બાકીના ભારતનો તેમનો પ્રવાસ સારો રહે.
જમ્મુ-કાશ્મીરની તેમની યાત્રાથી પ્રતિનિધિમંડળને ક્ષેત્રની સાંસ્કૃતિક અને ધાર્મિક વૈવિધતાની સારી સમજ મળશે. આ ઉપરાંત તેમને ક્ષેત્રના વિકાસ અને શાસનની પ્રાથમિકતાઓનો એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ પણ મળશે.
પ્રધાનમંત્રી મોદીએ ઈયૂના સભ્યો સાથે વાતચીત કરી અને કહ્યું કે આતંકવાદીઓનું સમર્થન કાંતો પ્રાયોજિત કરનાર અથવા તો આવી ગતિવિધિઓ અને સંગઠનોનું સમર્થન કરનાર અથવા નીતિના રૂપમાં આતંકવાદનો ઉપયોગ કરનાર વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી કરવી જોઈએ. આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ હોવું જોઈએ. તેમણે કહ્યું કે નિષ્પક્ષ અને સંતુલિત દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ સમજૂતી મારી સરકારની પ્રાથમિકતા છે.
આ પેનલ 29 ઓક્ટોબરે કાશ્મીરનો પ્રવાસ કરશે. જણાવી દઈએ કે પાંચ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. જે બાદ પાકિસ્તાને આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની ઘણી કોશિશો કરી અને ભારત પર કેટલાય પ્રકારના આરોપો પણ લગાવ્યા હતા. પરંતુ ઈયૂ નેતાઓની આ મુલાકાત બાદ બધું સ્પષ્ટ થઈ જશે.
અનુચ્છેદ 370 હટ્યા બાદથી આ વિદેશી પ્રતિનિધિમંડળનો પહેલો કાશ્મીર પ્રવાસ હશે. જો કે અત્યાર સુધી ભારત તરફથી કોઈપણ વિદેશી પ્રતિનિધિમંડળને જમ્મુ-કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ સભ્યોને અજીત ડોભાલે નિમંત્રણ આપી દીધું હતું. આ એક યૂરોપિયન એનજીઓ આ સમગ્ર પ્રવાસ આયોજિત કરી રહી છે.
આ સભ્યોમાંથી એક બીએન ડને કાશ્મીર પ્રવાસ પર કહ્યું, 'હા અમે કાલે ત્યાં જઈ રહ્યા છીએ. પીએમ મોદીએ અમને અનુચ્છેદ 370 હટાવવા વિશે વિસ્તારથી જણાવ્યું છે પરંતુ હું જમીની સ્તર પર જોવા માંગું છું કે આ હકિકતમાં કેવું છે અને કેટલાક સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા પણ માંગું છું. અમે બધા માટે શાંતિ અને સામાન્ય સ્થિતિ ઈચ્છીએ છીએ.'
-
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
