માયાવતીએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થનનું એલાન કર્યું, કહ્યું- રાજસ્થાનમાં પણ આવી શકે સાથે
માયાવતીએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થનનું એલાન કર્યું
નવી દિલ્હીઃ આખરે બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસનો રસ્તો સાફ કરી દીધો છે, તેમણે આજે એલાન કરી દીધું છે કે તેઓ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થન કરશે, જે બાદ હવે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો આસાનીથી રજૂ કરી શકે છે. માયાવતીએ કહ્યું કે રઝલ્ટ દેખાડે છે કે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જનતા ભાજપના વિરોધમાં છે.

વિકલ્પની કમીને કારણે જનતાએ કોંગ્રેસનો સ્વીકાર કર્યો છે, જો કે કોંગ્રેસની નીતિઓથી હું સહમત નથી પરંતુ તેમ છતાં જનતાનો મૂડ જોતાં અમારી પાર્ટી બસપા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સપોર્ટ કરશે અને જરૂર પડી તો રાજસ્થાનમાં પણ સાથે આવશું.
Mayawati: Even though we don't agree with many of Congress's policies we have agreed to support them in Madhya Pradesh and if need be in Rajasthan #AssemblyElections2018 pic.twitter.com/1EDRUwyNuU
— ANI (@ANI) December 12, 2018
માયાવતીએ કહ્યું કે ભાજપ સત્તામાં આવવા માટે જોડતોડમાં લાગી છે, હું તેમનો ઉદ્દેશ્ય પૂરો નહિં થવા દઉં, જનતા ભાજપથી ત્રસ્ત છે અને તેનાથી છૂટકારો ઈચ્છે છે, માટે અમે કોંગ્રેસના સપોર્ટમાં આવ્યા છીએ. જણાવી દઈએ કે રાજસ્થાનમાં કોંગ્રેસને 99 સીટ મળી છે, જ્યારે મધ્ય પ્રદેશમાં 114 સીટ મળી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બીએસપીને ક્રમશઃ 6 સીટ અને 2 સીટ મળી છે, ભાજપને 109 સીટ મળી છે.
આ પણ વાંચો- કોંગ્રેસમાં સીએમને લઈ માથાકૂટ શરૂ, ત્રણેય રાજ્યમાં આજે ધારાસભ્યોની બેઠક
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
